પાટીદાર સમાજ માત્ર એક રૂપિયામાં કરાવશે લગ્ન – કેટલાય પરિવારોનો આર્થિક ખર્ચ બચી જશે

હાલમાં કોરોના મહામારીના કારણે લગ્ન-પ્રસંગ કરવા બોજારૂપ બની જાય છે. ત્યારે હાલમાં મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર ખાતે 700 પાટીદાર સમાજ દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના ની ભયંકર મહામારી વચ્ચે સમાજના પરિવારો પર લગ્ન પ્રસંગના ખર્ચનો આર્થિક બોજો માથે પડે નહીં તે માટે ફક્ત 1 રૂપિયામાં લગ્ન કરાવવાનો એતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

પાટીદાર સમાજ દ્વારા માત્ર 1 રૂપિયાના ટોકન આપીને લગ્ન કરવાની આ યોજનામાં આયોજકોએ કેટલાક નિયમોની ઘોષણા કરી છે અને લગ્ન માટે નોંધણી કરનાર વર અને કન્યાએ ખોટા ખર્ચ અને વરઘોડાને ટાળવા માટે તેમના પોતાના રિસેપ્શન સહિત કોઈ પણ પ્રસંગનું આયોજન ન કરવાનું નક્કી કર્યું છે.

જ્યારે આ પ્રકારનું આયોજન કરીને ખોટા ખર્ચ અટકાવી શકાય છે તે જોઈને સમાજના આગેવાનોને પણ આ કાર્ય પ્રેરણાદાયક લાગ્યું છે. એ પ્રસંગમાં સરકારની કોરોના વાયરસની ગાઈડ લાઈનનું પાલન કરતા માસ્ક અને સેનેટાઇઝર સાથે જ સોશ્યલ ડિસ્ટનસનું પાલન કરતા આયોજકોએ આયોજન કર્યું છે.

આયોજનકર્તાઓનું કહેવું છે કે, આમ કરવાથી અનેક પરિવારનો આર્થિક ખર્ચ બચી જશે. સમગ્ર આયોજનમાં કોરોના સંક્રમણને રોકવા માટે અને સમાજના પરિવારો પર આર્થિક બોજો ન આવે તે માટે 700 પાટીદાર સમાજ દ્વારા સમાજ આગેવાનના સહયોગથી અત્યાર સુધીમાં 4 તહેવારોની લગ્ન તારીખો નોંધવામાં આવી છે.

પાટીદાર સમાજ હંમેશા સમાજના નીચલા વર્ગ અને સમાજ રહેલા ખોટા ખર્ચથી છૂટકારો મેળવવાના પ્રયત્નોમાં લાગેલું જોવા મળે છે. લગભગ દરેક પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નો પણ યોજવામાં આવે છે. સામૂહિક લગ્ન કરવાથી લગ્નમાં થતા ખોટા ખર્ચામાં પણ ઘટાડો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *