એવું તો શું કારણ હશે કે, લવમેરેજ કર્યાના ત્રીજા મહિને યુવતીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

હાલમાં એક નેહા નિલેશભાઇ વાઘેલા નામની યુવતીએ ગઇકાલે ગુરૂવારે સાંજે પોતાના ઘરે જ પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને નેહાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નેહા અને નિલેશ મોલમાં સાથે કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. બાદમાં પરિવારની સહમતિથી ત્રણ મહિના પહેલા જ બંન્નેએ લવમેરેજ કર્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ નિલેશે કામ અંગે નેહાને ઠપકો આપતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્‍યું છે. પરંતુ પરાપિપળિયા ગામે રહેતા નેહાના પિતા વિજયભાઇ લીલાધરભાઇ બદરકીયાએ દીકરીને પતિનો ત્રાસ હોવાનો આક્ષેપ કરતાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.

નેહા વાઘેલાએ આત્મહત્યા કર્યાની જાણ 108 મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના PSI એ.જી.અંબાસણા અને રમેશભાઇએ ઘટનાસ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, નેહાના માવતર પરાપીપળીયા રહે છે. તે મોલમાં બૂટના શો રૂમમાં નોકરી કરતી હતી. સાથે જ કામ કરતાં નિલેશ વાઘેલા સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ત્રણ મહિના પહેલા જ પરિવારની સંમતિથી લવમેરેજ કર્યા હતાં.

પતિ નિલેશે પોલીસ સમક્ષ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, મારી પત્‍ની નેહા સતત ફોનમાં વ્‍યસ્‍ત રહેતી હતી અને કામમાં ધ્‍યાન દેવાનું કહી ઠપકો અપાતાં ઝગડો થતાં માઠુ લાગી જવાથી પગલુ ભર્યું હતું. જોકે મૃતકના પિતાએ દીકરીને ત્રાસ હોવાનો આક્ષેપ કરતાં પોલીસ દ્વારા મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. અંતિમવિધી બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. આ સમગ્ર ઘટના રાજકોટના જીવરાજ પાર્ક નજીક ભારતનગર આવાસ યોજના ક્વાર્ટરમાં બની હતી.

આ ઉપરાંત જામનગર પંથકમાં ધરાર પ્રેમસંબંધ રાખવાના દબાણથી 17 વર્ષીય તરુણીએ અગ્નિસ્નાન કરી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાઇ છે. દરેડ ગામે રહેતી સોનલ ચંદુભાઇ પરમાર નામની તરુણીએ બે દિવસ પહેલા સાંજના સમયે તેના ઘરે પોતાની જાતે શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. બનાવની પરિવારજનોને ખબર પડતા તુરંત આગની જ્વાળાઓમાં લપેટાયેલી સોનલને બચાવી અને જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેદવામાં આવી હતી.

આ દરમિયાન સારવાર લઇ રહેલી તરુણીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તે બે બહેનમાં નાની છે. તેના પિતા હયાત નથી. તે વિધવા માતા લાભુબેન સાથે બનેવી લગધીર ભાયાભાઇ ચારણ સાથે દરેડ ગામે રહે છે. બનેવીનો ભાણેજ રવજી દેવા વિજાણી છેલ્લા કેટલાક સમયથી દારૂ પીને ઘરે આવી ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી પરેશાન કરતો હોવાથી કંટાળીને પગલું ભરી લીધાનું જણાવ્યું છે. જામનગર પોલીસે સોનલનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *