જેઠ સાથે શરીરસુખ માણી રહી હતી પત્ની, અવરોધ બનતા પતિને મોતને ઘાટ ઉતારી કહ્યું, કોરોનામાં મરી ગયા

હાલમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પોલીસ દ્વારા મહિલાના જેઠ સાથેના અનૈતિક સંબંધના કારણે પતિની હત્યા કરી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પાંચ મહિના ચાલેલી તપાસ બાદ પોલીસે આ ઘટસ્ફોટ કર્યો હતો.  આ ઘટનામાં આશરે 5 મહિના પહેલા એક અજાણી લાશ મળી હતી. આ મામલે પોલીસ દ્વારા મૃતકના પત્ની, મૃતકના ભાઈ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકો મૃત પ્રમાણ પત્ર બનાવવાની વાત કરીને પંચાયતના ચક્કર કાપતાં હતા. ત્યારબાદ તેમના પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન આ બંને જણાની અટકાયત કરીને તેમને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે ત્રણ સાથીઓ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાની વાતની કબૂલાત કરી હતી.

આરોપીઓએ હત્યા માટે એક વ્યક્તિને સોપારી આપી હતી. પોલીસ દ્વારા એક એક કડી જોડીને ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જે મુજબ મૃતકના ભાઈ તપનદાસ અને મૃતકની પત્ની વચ્ચે આડાસંબંધ હતા. પોલીસની ટીમ દ્વારા આ હત્યાકાંડના માસ્ટર માઇંડ મૃતકની પત્ની અને તેના મોટાભાઈની ધરપકડ કરવામાં આવી હતી. એસપી રાજીવ પચારે જણાવ્યું કે, મૃતક ઉતમદાસના મોટા ભાઈએ સોપારી આપીને તેના નાના ભાઈની હત્યા કરાવી હતી.

જાણવા મળ્યું છે કે, હત્યા બાદ તેમણે અહીંથી ગામડે જઈને મોતનું કારણ કોરોના જણાવ્યું હતું. ઉપરાંત રીત રિવાજ પ્રમાણે વિધિ પણ કરી હતી. આ મામલે મૃતકની પત્ની, મોટા ભાઈ અને ઉદયપુરના 5 સ્થાનિક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફિલ્મી અંદાજમાં આ લોકોએ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ કિસ્સો રાજસ્થાનના ઉદયપુરમાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *