સ્માર્ટફોનની તૂટેલી સ્ક્રીન બની શકે છે ખતરો! ભૂલથી પણ ન કરો આ કામ, નહીંતર…

Smartphone: સ્માર્ટફોનનો ઉપયોગ આજે દરેક વ્યક્તિ કરે છે. આજના સમયમાં નાની વસ્તુ ઓનલાઇન મંગાવવાથી લઇ બેંકિંગ સુધીના કાર્યો આ સ્માર્ટફોનની મદદથી પૂર્ણ થાય છે. કોઈ પણ યુઝરનો ભાગ્યે જ એક દિવસ સ્માર્ટફોન(Smartphone) વગર પસાર થાય છે. ત્યારે યુઝર્સે તેના જાળવણી અંગે વધુ કાળજીની જરૂર છે.

થોડી બેદરકારી અને ફોન જમીન પર પડી જવાથી હજારોનું નુકસાન થઈ શકે છે. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે ઉતાવળમાં તમારા હાથમાંથી ફોન પડી ગયો અને તેની સ્ક્રીન ખરાબ થઈ ગઈ? શું તમે પણ તૂટેલી સ્ક્રીન સાથે ફોનનો ફરીથી ઉપયોગ કર્યો છે? જો હા, તો ભવિષ્યમાં આવું કરતા પહેલા વિચારવું પડશે.કારણકે, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તૂટેલી સ્ક્રીનવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરવો કેટલો જોખમી હોઈ શકે છે.

શા માટે સ્ક્રીનવાળા ફોનનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ

આંગળીઓમાં ઈજા થઈ શકે છે
તૂટેલી સ્ક્રીનવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. ફોનને ઓપરેટ કરવા માટે માત્ર આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આંગળીમાં ઇજા થઇ શકે છે.

ફોનની અંદર ધૂળ પ્રવેશી શકે છે
તૂટેલી સ્ક્રીનવાળા ફોનનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે આમ કરવાથી ધૂળ સરળતાથી પ્રવેશી શકે છે જેના કારણે ફોન જલ્દી ખરાબ થઇ શકે છે.

આંખો પર અસર પડે છે
જો તમારા ફોનની સ્ક્રીન તૂટી જાય છે તો ફોનનો કોઈપણ ભાગ ઓછો દેખાય છે. તેથી આને કારણે, તમારે લેખો વાંચતી વખતે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે અથવા વીડિયો જોતી વખતે તમારી આંખો પર અસર પડી શકે છે. તેનાથી આંખો માટે જોખમ વધી શકે છે.

ખતરનાક રેડિયેશનનું જોખમ વધે છે
ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ સેલફોનની રેડિયો ફ્રીક્વન્સીને માનવો માટે સંભવતઃ કાર્સિનોજેનિક માનવામાં આવે છે. અમેરિકન કેન્સર સોસાયટી માને છે કે ફોનના ઉપયોગથી વપરાશકર્તાઓને સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ નથી તે સાબિત કરવા માટે વધુ સંશોધન થવું જોઈએ. કારણ કે, બાય ડિફોલ્ટ સ્માર્ટફોન ખતરનાક રેડિયેશન ઉત્સર્જિત કરે છે. આવી સ્થિતિમાં, જો તમે તૂટેલી સ્ક્રીનવાળા ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો શક્ય છે કે ફોનની આંતરિક સિસ્ટમ ખુલી જાય અને રેડિયેશન પાર્ટ્સથી ખતરો પણ વધી જાય.

તૂટેલી સ્ક્રીન સાથે ફોનને તાત્કાલિક રીપેર કરાવો
જો ફોનની સ્ક્રીન તૂટી ગઈ હોય તો તેને શક્ય તેટલી વહેલી તકે રીપેર માટે આપી દેવામાં જ સમજદારી છે. ફોન સ્ક્રીનને રિપેર કરવા માટે ઇન્ટરનેટ પર ઘણા DIY આઇડિયા ઉપલબ્ધ છે. જો તમે પણ ફોનની સ્ક્રીન રિપેર કરવા માટે ટૂથપેસ્ટ કે નેલ પેઈન્ટનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો આવું બિલકુલ ન કરો.ટૂથપેસ્ટ અને નેલ પેઈન્ટનો ઉપયોગ તમારા ફોનનો સ્પર્શ સંપૂર્ણપણે બગાડી શકે છે. ફોનના અન્ય ભાગોને પણ નુકસાન થઈ શકે છે. તેથી, તેને રીપેરીંગ માટે દુકાનમાં આપો.