આણંદમાં ભગવાનના દર્શને જતા શ્રદ્ધાળુઓને નડ્યો ગંભીર અકસ્માત- એકસાથે 11 લોકો…

અકસ્માત (Accident)ના કેસો દિવસેને દિવસે વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, કર્ણાટક (Karnataka)થી આણંદ…

અકસ્માત (Accident)ના કેસો દિવસેને દિવસે વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, કર્ણાટક (Karnataka)થી આણંદ (Anand)ના મણિલક્ષ્મીતીર્થ (Manilakshmitirtha)ના દર્શનાર્થે આવેલ યાત્રિકોને ભયંકર અકસ્માત નડ્યો છે. અહીં, આણંદ-બોરસદ માર્ગે(Anand-Borsad road) મીની ટ્રાવેલર બસ(Mini Traveler Bus) અને એસટી બસ(ST bus) એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દરમિયાન કેટલાય મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.

યાત્રિકો મીની ટ્રાવેલર બસમાં સવાર થઈ આણંદ રેલવે સ્ટેશનેથી નીકળ્યા હતા:
એક રીપોર્ટ મુજબ, આ અકસ્માત આણંદ-બોરસદ માર્ગે સર્જાયો હતો. યાત્રીઓ બોરસદના માણેજ ખાતે આવેલા મણિલક્ષ્મી તીર્થના દર્શનાર્થે આવ્યા હતા. આ દરમિયાન કર્ણાટકથી રેલવે મારફતે આણંદ આવી રહેલા યાત્રિકો મીની ટ્રાવેલર બસમાં સવાર થઈ આણંદ રેલવે સ્ટેશનેથી નીકળ્યા હતા. ત્યારે સવારે 5 વાગ્યાની આસપાસ આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને મીની ટ્રાવેલર બસ વચ્ચે ધડાકાભેર થયેલી ટક્કરને લીધે સર્જાયેલા અકસ્માતમાં ટ્રાવેલર બસમાં સવાર 11 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે. ઇજાગ્રસ્ત યાત્રિકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી:
આ અકસ્માતમાં 11 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાને કારણે તાત્કાલિક પણે 5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 4 ઇજાગ્રસ્ત લોકોને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખાતે લાવવામાં આવ્યા છે અને અન્ય 7ને બોરસદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *