નવમાં ધોરણમાં ભણતી યુવતીએ પ્રેમી સાથે ઝાડ પર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- કારણ જાણી ફફડી ઉઠશો

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં આપઘાત એ તો સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું…

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં આપઘાત એ તો સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. કાલોલ(Kalol) તાલુકાના ઘૂસર(Ghusar) ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ(Gupteshwar Mahadev) મંદિરની પાછળના સ્મશાન પાસે પ્રેમીપંખીડાંએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને નીચે ઉતારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ડાળ પર ઓઢણીઓ બાંધી એકસાથે ફાંસો ખાધો:
મળતી માહિતી અનુસાર, કાલોલ તાલુકાના એક ગામની સગીરા અને ડેરોલ સ્ટેશન પાસે આવેલા ખંડીવાડ ગામના ગુનાહિત ભૂતકાળ ધરાવતા યુવક સતીષ જાલમભાઈ રાઠોડ (22) વચ્ચે પ્રેમસંબંધ હતો. જેનો સમાજ સ્વીકાર નહીં થતાં બંને ઘૂસરના જંગલમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યાં હતાં.

અહિયાં પહોચી સાથે જીવી શકાય એમ ન હોવાથી મહાદેવની સાક્ષીમાં સાથે મોત વહાલું કરવાનું નક્કી કરી બંનેએ મંદિર પાછળ આવેલા સ્મશાન નજીક એક વૃક્ષની ડાળ પર ઓઢણીઓ બાંધી એકસાથે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળે ટોળા વળ્યા હતા. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી.

યુવક દુષ્કર્મના કેસમાં જેલમાં ગયો હોવાનું જાણવા મળ્યું:
જાણવા મળ્યું છે કે, ખંડીવાડનો આ યુવક પહેલાં હાલોલ જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. યુવક પોતાનું ગામ છોડી સગીરાના ગામે રહેતો હતો, જ્યાં તેની આંખ નવમા ધોરણમાં ભણતી સગીરા સાથે મળી જતાં બંને વચ્ચે પ્રેમના બીજાંકુર જન્મ્યા હતા. પરતું પુત્રી સગીરા હોવાથી તેમજ યુવક 22 વર્ષીય હોવાથી અને તેનો ભૂતકાળ જોતાં બંનેના સંબંધ પર સગીરાના પરિવારજનો લગ્નની મહોર મારે તેમ નહોતા, તેથી બંનેએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

સગીરાના પિતા-ભાઈએ યુવક સામે રોષ ઠાલવ્યો:
બનાવની જાણ સગીરાના પરિવારને થતાં તેના પિતા અને ભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ તેમણે યુવક પર રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, યુવક તેનું ગામ છોડી અહીં રહેવા આવ્યો અને અમારી દીકરીને ભરખી ગયો એવી વેદના વ્યક્ત કરી હતી. બંનેએ સ્મશાન નજીક એક વૃક્ષની ડાળ પર ઓઢણીઓ બાંધી એકસાથે ગળાફાંસો ખાઈ લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *