પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann ના ઘર પાસેથી એક્ટીવ બોમ્બ મળતા દોડતું થયું પોલીસ તંત્ર

Bhagwant Mann: પંજાબના સીએમ ભગવંત માનના ઘર પાસે બોમ્બ મળવાના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ બોમ્બ ચંદીગઢમાં Bhagwant Mann ના ઘર પાસે…

Bhagwant Mann: પંજાબના સીએમ ભગવંત માનના ઘર પાસે બોમ્બ મળવાના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ બોમ્બ ચંદીગઢમાં Bhagwant Mann ના ઘર પાસે બનેલા હેલિપેડથી થોડા અંતરે મળી આવ્યો હતો. બોમ્બની માહિતી મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તાર ઉચ્ચ સુરક્ષાનો છે. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરનું ઘર પણ અહીંથી નજીક છે.

નોંધપાત્ર વાત એ છે કે પંજાબ અને હરિયાણા સચિવાલય અને વિધાનસભા પણ જે જગ્યાએ બોમ્બ મળ્યો તેની નજીક છે. આ ઘટના અંગે સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે ચંદીગઢના સેક્ટર-2માં કોઠીથી થોડે દૂર રાજીન્દ્રા પાર્ક પાસે એક રાહદારીએ બોમ્બ શેલ જોયો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી.

બોમ્બ વિશે માહિતી મળ્યા બાદ, ત્યાં હાજર જવાનોએ શેલની આસપાસ રેતીની થેલીઓ મૂકી દીધી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને સ્થળ પર બોલાવવામાં આવી હતી. તે જ સમયે, સુરક્ષાના દૃષ્ટિકોણથી, સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે.

મીડિયા સાથે વાત કરતા ચંદીગઢ એડમિનિસ્ટ્રેશનના નોડલ ઓફિસર કુલદીપ કોહલીએ કહ્યું કે અમને માહિતી મળી છે કે અહીં કેટલીક શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે તે જીવંત બોમ્બ હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે તે અહીં કેવી રીતે પહોંચ્યો. આ ઉપરાંત અમે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હવે સેના આવશે અને તેની સંભાળ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *