શહીદ થયા ઇન્ડિયન એરફોર્સમાં ડ્યુટી કરતા ભાવનગરના યુવાન જયદ્રથસિંહ સરવૈયા- જાણો શું છે ઘટના?

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)ના એક 25 વર્ષીય યુવક, જે એરફોર્સ(Air Force)માં ક્લાસ રેન્કના ફ્લાઈંગ ઓફિસર છે, તેણે ગ્વાલિયર(Gwalior)માં તાલીમ દરમિયાન તેના હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમના પાર્થિવ દેહને તેમના પરિવાર દ્વારા આજે અંતિમ સંસ્કાર માટે ભાવનગર લાવવામાં આવશે.

મૂળ ભાવનગર જીલ્લાના પાલીતાણા(Palitana) તાલુકાના રોહિશાળા(Rohishala) ગામના વતની અને ઇન્ડિયન એરફોર્સમાં અધિકારી તરીકે ફરજ બજાવતા જયદ્રથસિંહ સરવૈયા(Jaydrath Singh Sarvaiya) શહીદ થતા લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

ફ્લાઈંગ ઓફિસર બનવા માટે એક વર્ષ પહેલા ઈન્ડિયન એરફોર્સની પરીક્ષા પાસ કરનાર જયદ્રથસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા(ઉં.વ.25) એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. બેંગ્લોરમાં તેની તાલીમ પૂર્ણ કર્યા પછી ગ્વાલિયરમાં તેની તાલીમ ચાલી રહી હતી આ દરમિયાન તેણે બુધવારે વહેલી સવારે ગ્વાલિયરમાં હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

સમગ્ર ઘટના અંગેની જાણ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા અને મૃતદેહને આજે સવારે ભાવનગર લાવવામાં આવ્યા પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જણાવી દઈએ કે, એરફોર્સની સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરીને તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને પ્રથમ બેંગ્લોર ટ્રેનિંગ પુરી કરી ગયા જાન્યુઆરી માસમાં ભાવનગર ઘરે આવ્યા હતા.

ત્યારબાદ તેમની ટ્રેનિંગ ગ્વાલિયરમાં ચાલતી હતી અને આ દરમિયાન તેમણે આ પગલું ભર્યું હતું. તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેનો નાના ભાઈ પરંજય અમદાવાદ મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે. આ મામલે તેમના કાકા કૃષ્ણદેવસિંહે જણાવતા કહ્યું હતું કે, નોકરીના પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પ્રકારનું પગલું ભર્યું છે. તે પરિવારને ઘણીવાર નોકરીના ટેન્શનની વાત કરતા હતા અને ભણવામાં ખુબ તેજસ્વી હતા.

પિતાને જન્મદિનની શુભેચ્છા આપી અંતિમ પગલું ભર્યું:
14મી તારીખના રોજ તેના પિતા પ્રદ્યુમ્નસિંહનો જન્મદિવસ હતો અને તેમને જન્મ દિવસની શુભેચ્છા આપી તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, સ્થાનિક પોલીસને તેમની ડાયરીમાં હેપી બર્થ-ડે, પપ્પા… તેવું લખેલું મળી આવ્યું હતું. ચાર દિવસ પછી તેને રજા મળવાની હોવાથી ભાવનગર આવવાના હતા પરંતુ તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “શહીદ થયા ઇન્ડિયન એરફોર્સમાં ડ્યુટી કરતા ભાવનગરના યુવાન જયદ્રથસિંહ સરવૈયા- જાણો શું છે ઘટના?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *