હોલિકા દહનના દિવસે બની રહ્યો છે વિશેષ સંયોગ- આ એક કામ કરવાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

Holika Dahan 2022: હોલિકા દહન ફાગણ પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હોલિકા દહન અને પૂજા પછી જ ભોજન…

Holika Dahan 2022: હોલિકા દહન ફાગણ પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હોલિકા દહન અને પૂજા પછી જ ભોજન કરવું જોઈએ. હોલિકા દહન(Holika Dahan)ના બીજા દિવસે રંગ-અબીર સાથે હોળી રમવામાં આવે છે. હોલિકા દહનને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે હોલિકા દહન આસપાસની નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. આ વખતે હોલિકા દહન 17મી માર્ચે છે. બીજી તરફ 18 માર્ચે રંગવાલી હોળી રમાશે.

હોળી પર બનશે વિશેષ સંયોગ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે હોળીનો તહેવાર ખાસ રહેવાનો છે. વાસ્તવમાં આ દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. આ વખતે હોળીના દિવસે અમૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, વૃદ્ધિ યોગ અને ધ્રુવ યોગ રચાવા જઈ રહ્યા છે. તેની સાથે ગુરુ અને બુધનો આદિત્ય યોગ બનશે. આદિત્ય યોગમાં હોળીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

હોલિકા દહનનો શુભ સમય:
હોલિકા દહન તારીખ – 17 માર્ચ, ગુરુવાર
હોલિકા દહન શુભ મુહૂર્ત – મોડી રાત્રે 9:20 થી રાત્રે 10.31 સુધી
ધૂળેટીની તારીખ – 18 માર્ચ

હોલિકાની ભસ્મના ઉપાય:
જો ઘરમાં ખૂબ લડાઈ ચાલી રહી હોય અથવા ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવી હોય તો હોલિકાની ભસ્મની પોટલી બનાવી લો. આ પછી તેને શુભ મુહૂર્તમાં ઘરના અલગ-અલગ ભાગમાં રાખો. આમ કરવાથી ઘરમાં પ્રવર્તતી નકારાત્મક ઉર્જાનો નાશ થશે. જો બાળક અથવા ઘરના કોઈપણ સભ્ય બીમાર પડી જાય અથવા કોઈ વ્યક્તિ બીમાર રહે તો હોલિકાની ભસ્મને કપડામાં બાંધીને વ્યક્તિના માથા પરથી 7 વાર ફેરવો. આમ કર્યા પછી તેને જમીનમાં દાટી દો.

આર્થિક સમસ્યા દૂર કરવા માટે હોલિકાની ભસ્મને લાલ કપડામાં બાંધો. આ પછી, તેને કોઈ તિજોરીમાં અથવા પૈસાવાળી જગ્યાએ રાખો. આ સિવાય તેને પર્સના નાના ખિસ્સામાં પણ રાખી શકાય છે. તેમજ કોઈપણ કામ શરૂ કરતા પહેલા આ ભસ્મનો ચાંદલો કરો. આમ કરવાથી બધા કામ પૂરા થશે અને જીવનમાં પૈસાની અછત નહિ સર્જાય.

જાણો પૂજા વિધિ:
હોલિકા દહન પહેલા હોળીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન કરીને હોલિકા પૂજાના સ્થાન પર પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસો. હવે પૂજામાં ગાયના છાણમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ બનાવો. આ સાથે રોલી, અક્ષત, ફૂલો, સુતરનો ધાગો, હળદર, મગ, પતાસા, ગુલાલ, રંગ, સાત પ્રકારના અનાજ, ઘઉં, હોળી પર બનાવવામાં આવતી વાનગીઓ,એક લોટો પાણી, મીઠાઈ વગેરેથી હોલિકાની પૂજા કરવામાં આવે છે અને સાથે ભગવાન નરસિંહની પણ પૂજા કરો. પૂજા પછી હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ, તેની સાથે જવ અથવા ઘઉં, ચણા, મગ, ચોખા, નારિયેળ, શેરડી, પતાસા વગેરે વસ્તુઓ હોળીમાં નાખવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *