વડોદરામાં નવમાં ધોરણમાં ભણતી દીકરીએ પરિવારને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યો- સમગ્ર ઘટના વાંચી…

વડોદરા(ગુજરાત): વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે. લાશનો કબજો લઇને પાણીગેટ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરની શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં ઝલક આશિષભાઇ પાંડે ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. આજે સ્કૂલેથી આવ્યા પછી કોઇક કારણસર તેને ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. દીકરી ઝલકને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારનો રડવાનો અવાજ સાંભળીને પડોશીઓ તેમજ આસપાસનાં લોકો ત્યાં પહોંચી ગયા હતા.

ત્યારબાદ આ બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ પોલીસે ઝલક પાંડેએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે. તે અંગેની માહિતી એકત્ર કરવા માટે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *