સુશાંતથી લઈને તુનીષા સુધી… કોઈની પણ મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી ત્યાં વધુ એક અભિનેતાનો આપઘાત

એક મહિના પહેલા જ પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma) એ શૂટિંગ સેટ પર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. અને તે અંગે હજુ સુધી કંઈપણ બહાર આવ્યું નથી. મૃત્યુનું આ રહસ્ય હજુ ઉકેલાયું ન હતું કે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.

સાઉથના પ્રખ્યાત અભિનેતા સુધીર વર્મા (Sudheer Varma) એ આપઘાત કરી લીધો છે. મળેલી માહિતી અનુસાર અભિનેતાએ વિશાખાપટ્ટનમ (Visakhapatnam) સ્થિત તેના નિવાસસ્થાને ઝેર ખાઈને આપઘાત કર્યો હતી. તેમની સાથે કામ કરનાર સુધાકરે અભિનેતાના નિધનની પુષ્ટિ કરી હતી.

એવું કહેવામાં આવે છે કે, ફિલ્મોમાં સારા રોલ ન મળવાને કારણે તે ખૂબ જ નાખુશ હતો અને ડિપ્રેશનમાં હતો. સુધીર વર્માના આ પગલા બાદ ચાહકો ખૂબ જ દુઃખી છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવતાની સાથે જ લોકો તેમના પ્રત્યે શોક વ્યક્ત કરી રહ્યા છે.

સુધીર વર્મા માત્ર 33 વર્ષના હતા અને સતત સારું કામ કરી રહ્યા હતા. સુધીર વર્માએ 2013માં ફિલ્મ ‘સ્વામી રા રા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં કુંદનપુ બોમ્મા, સેકન્ડ હેન્ડ, શૂટ આઉટ એટ અલેરુ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સુધીર વર્માને ‘કુંદનપુ બોમ્મા’ દ્વારા ઓળખ મળી. આ ફિલ્મ માટે સુધીર વર્માને આજે પણ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મને અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. હાલ તે આપણી સાથે નથી અને આ વાત થી ચાહકો ખૂબ જ દુઃખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *