એવું તો શું થયું કે લગ્નના 10 કલાકમાં જ દુલ્હનને મળ્યું મોત, જાણો શું છે સમગ્ર ઘટના

રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એકાએક લગ્ન (Marriage)નું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું હતું. વાસ્તવમાં લગ્ન બાદ દુલ્હન તેના સાસરે…

રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એકાએક લગ્ન (Marriage)નું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું હતું. વાસ્તવમાં લગ્ન બાદ દુલ્હન તેના સાસરે પહોંચી અને અચાનક તેની તબિયત બગડી હતી. લગ્નના 10 કલાક પછી જ તેણીનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ, જિલ્લાના કુઇ જોધા ગામમાં એક જાન આવી હતી અને વિદાય કર્યા પછી, કન્યા ખુશીથી તેના સાસરે ગઈ. પરંતુ ત્યાં પહોંચ્યાના થોડા કલાકો બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. પરિવારે તેને બાલેસરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બાલેસરના તેના ગામના સુભાષ મેઘવાલે મંગળવારે રાત્રે કુઇ જોધા ગામમાં છગનારામના ઘરે જાન લઈને ગયા હતા. સુભાષે તેની દુલ્હન રેખા સાથે સાત ફેરા લીધા અને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ સવારે વિદાય કરીને પોતાના ઘરે પહોંચ્યા. કન્યાનું તેના સાસરિયાના ઘરે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેવી-દેવતાઓના મંદિરોમાં પૂજા કરવામાં આવી હતી. પરંતુ સાંજે અચાનક જ કન્યા રેખાની તબિયત લથડી અને તે બેહોશ થઈ ગઈ. જેના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

સંબંધીઓનું કહેવું છે કે કાળઝાળ ગરમીમાં દિવસભર દેવી-દેવતાઓના મંદિરોમાં પૂજા-અર્ચના કર્યા બાદ દુલ્હન ઘરે આવીને સૂઈ ગઈ હતી. પરંતુ તે લાંબા સમય સુધી ઉભી ન થતાં ઘરની મહિલાઓ તેને ઉઠાડી હતી. ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. ત્યારબાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. બંને પરિવારોમાં શોકનું વાતાવરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *