સુરતના સવજીકોરાટ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ- આપઘાતનું કારણ…

સુરત(Surat): શહેરમાં ફરી એક વખત આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સવજીકોરાટ બ્રિજ(Savjikorat Bridge) પરથી પુણાગામ(Punagam)ના યુવકે મોતની છલાંગ લગાવી લીધી છે. બનાવ બનતાની સાથે…

સુરત(Surat): શહેરમાં ફરી એક વખત આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સવજીકોરાટ બ્રિજ(Savjikorat Bridge) પરથી પુણાગામ(Punagam)ના યુવકે મોતની છલાંગ લગાવી લીધી છે. બનાવ બનતાની સાથે જ બ્રીજ પર ટ્રાફિક જામ સર્જાય ગયો હતો. લોકોના ટોળે ટોળે એકઠા થઇ ગયા હતા.

નાનાવરાછાના સવજીકોરાટ બ્રિજ પરથી યુવકે પડતું મૂક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ફાયરવિભાગ દ્વારા લાશને તાપીનદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. હાલમાં આ સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્યાં કારણોસર આ યુવકે આપઘાત કરી લીધો તે અંગેનું કારણ અકબંધ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક વ્યક્તિની ઓળખ ડાવરા અતુલભાઈ તરીકે કરવામાં આવી છે.

હાજર લોકોએ તપાસ કરતા યુવકના ઓળખપત્ર મળી આવ્યા હતા. તેના પરથી જાણકારી મળી હતી કે, આ યુવક પુણાગામનો હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *