ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ જય શાહ પહેલીવાર શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને પહોચ્યાં

Jay Shah in Salangpur: ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ ગુરુવારે જય શાહે પ્રથમ વાર સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યા હતા. જય શાહે કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી હતી. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ (Jay Shah in Salangpur) સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર શ્રી જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા.

અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી. આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી હતી.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી દ્વારા જય શાહને દાદાની મૂર્તિ ભેટ અપાઈ હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ ગોપીનાથજી ભગવાનની પ્રતિમા ભેટ આપી હતી. મંદિર દ્વારા જણાવાયું કે, ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને તથા સંતોના આશીર્વાદ મેળવ્યા.

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર પધાર્યા હતા. તેમણે હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી. આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી હતી.