મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં બે સાધુઓની હત્યા, આરોપીને ભીડે પકડીને…..

મહારાષ્ટ્રમાં પાલઘરમાં બે સાધુઓની મોબ લીન્ચિંગ બાદ હવે ઉત્તર પ્રદેશમાં સાધુઓની હત્યાનો મામલો સામે આવ્યો છે. બુલંદ શહેરના અનુપ શહેર થાના ક્ષેત્રમાં બે સાધુઓની હત્યા…

મહારાષ્ટ્રમાં પાલઘરમાં બે સાધુઓની મોબ લીન્ચિંગ બાદ હવે ઉત્તર પ્રદેશમાં સાધુઓની હત્યાનો મામલો સામે આવ્યો છે. બુલંદ શહેરના અનુપ શહેર થાના ક્ષેત્રમાં બે સાધુઓની હત્યા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં સુઈ રહેલા સાધુઓ પર ધારદાર છરાથી હુમલો કરવામાં આવ્યો છે. ભીડે આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો છે.

જાણકારી અનુસાર અનુપ શહેર કોતવાલીના પગોના ગામમાં એક શીવમંદિર છે.મંદિરમાં રહેતા ૫૫ વર્ષીય સાધુ છગનદાસ અને ૩૫ વર્ષીય સાધુ સેવાદાસની સોમવારે રાત્રે હત્યા કરવામાં આવી છે.મંગળવારે સવારે જ્યારે ગ્રામીણ મંદિર પહોંચ્યા તો સાધુઓનાં લોહીથી લથબથ શબ જોઇને ભડકી ગયા. જોતજોતામાં મંદિરમાં સેંકડો લોકોની ભીડ ભેગી થઈ.

આ વચ્ચે ગ્રામીણોએ એક વ્યક્તિ ઉપર શંકા વ્યક્ત કરી. ત્યારબાદ તેની જબરદસ્ત પીટાઈ કરવામાં આવી.આ ઘટનાની સૂચના મળતાં ઘટનાસ્થળ પર પોલીસ ફોર્સ પહોંચી ગઈ અને આરોપી વ્યક્તિને પોતાની કસ્ટડીમાં લઇ લીધો. તેની સાથે જ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આના પહેલાં મહારાષ્ટ્રના પાલઘરમાં 16 એપ્રિલ ની રાત્રીએ બે સાધુ અને તેના ડ્રાયવરની મારીને હત્યા કરવામાં આવી હતી. ગ્રામીણોએ ચોરની આશંકામાં ત્રણેયની મારપીટ કરી હતી. આ દરમિયાન પોલીસ કર્મી મૂકદર્શક બન્યા હતા. આ મામલામાં 100થી વધારે લોકોને ગિરફતાર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *