માતાના અંતિમ સંસ્કાર બાદ પુત્રી તરત જ પહોચી બોર્ડની પરિક્ષા આપવા, કહાની વાંચીને તમે પણ રડી પડશો

તમને જાણીને નવાઈ લાગશે કે, એક પુત્રી પોતાની માતાના મૃત્યુ પછી અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચી. આ વિદ્યાર્થીનીની…

તમને જાણીને નવાઈ લાગશે કે, એક પુત્રી પોતાની માતાના મૃત્યુ પછી અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચી. આ વિદ્યાર્થીનીની માતા ઘણાં સમયથી બીમાર રહી હતી અને 2 દિવસ પહેલા સાંજે તેની માતાનું નિધન થઈ ગયું હતું. મરતા પહેલા માતાએ દીકરી પાસેથી વચન લીધું હતું કે, જો તેને કશુ થઈ જાય તો તે પોતાનો અભ્યાસ છોડશે નહીં અને IAS બનશે.

માતાને વચન આપ્યું હતું કે, તે ખૂબ ભણશે અને IAS બનશે

ભારતમાં આવેલ પુણેના ધામની ગામમાં રહેનારી મહિલા સવિતા ગવંડીનું નિધન થઈ ગયું હતું. સવારે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને સ્મશાનથી પરત ફર્યા બાદ તેમની દીકરી જ્ઞાનેશ્વરી ગવંડી ઘરેથી નીકળી અને પરીક્ષા કેન્દ્ર પહોંચીને પરીક્ષા આપી. જ્ઞાનેશ્વરીએ જણાવ્યું કે, તેણે પોતાની માતાને વચન આપ્યું હતું કે, તે ખૂબ ભણશે અને IAS બનશે.

અંતિમ સંસ્કારને કારણે પહોંચવામાં મોડુ થઈ ગયું

માતાના અંતિમ સંસ્કારને કારણે જ્ઞાનેશ્વરીને પરીક્ષા સેન્ટર પહોંચવામાં થોડુ મોડુ થઈ ગયું હતું. પણ સ્કૂલના આગ્રહ પર તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી. સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું કે, જ્ઞાનેશ્વરી ભણવામાં પાવરધી છે. તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. જ્ઞાનેશ્વરીનો ભાઈ ધોરણ 12નો છાત્ર છે. અને તે પણ પરીક્ષા આપવા માટે ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *