PSI ના ત્રાસથી કંટાળીને અમદાવાદના યુવાને મોતને કર્યું વ્હાલું- સ્યુસાઈડ નોટમાં થયો મોટો ઘટસ્ફોટ

અમદાવાદ (ગુજરાત): ગુજરાત (Gujarat) માં આવેલ અમદાવાદ (Ahmedabad) શહેરમાં રહેતા પોલીસ કર્મચારીના ત્રાસથી કંટાળીને ગીતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાને આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. PSI ના ત્રાસથી કંટાળીને આપઘાત કરીને જીવન ટુંકાવી લીધું છે.

શહેરના ગીતા મંદિર વિસ્તારમાં રહેતા ગેમજીભાઈ રેવરે સાંજનાં સુમારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને જાણ થતાંની સાથે જ પોલીસની કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આની સાથે જ તપાસ કરતા તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

જેમા બિગ બજાર ચોકીના PSI ગોહિલ તેમજ તેમની દુકાનના પડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ ગેમજી ભાઈને અવારનવાર માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું જેને લીધે તેઓએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યુ છે. જેને લીધે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

સ્યુસાઇડ નોટમાં શું લખ્યુ?
સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ અન્યાય થયો છે. અમારી દુકાનની પાછળ જયેન્દ્ર કોસ્ટી તેમજ બિગ બજારના PSI ગોહિલ સાહેબ એમ બન્નેએ મળીને મારી ઉપર ખોટા કેસ કરીને ખોટી FIR દાખલ કરીને દબાણ આપ્યા કરે છે તેમજ ગોહિલ સાહેબ અમારું કાંઈ સાંભળતા નથી.

આ બન્ને લોકોએ મને ખૂબ ત્રાસ આપ્યો છે કે, જેથી મેં આ પગલું ભર્યું છે તેમજ મારું મારવાનુ કારણ આ બે લોકો છે. ગોહિલને કોઈપણ રજૂઆત કરવામાં આવે તો ઉલ્ટાનું મને દબાણ કરે છે તેમજ ધમકાવે છે છે કે, વધુ પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે અમને હેરાન કરે છે. જયેન્દ્રના મકાનની પાછળ અમારી મરજીની જગ્યામાં પાકો સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમો એ કહ્યું છતાં અમારું કાંઇપણ સાંભળેલ નથી.

હાલમાં આગળની તપાસ શરૂ: 
હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, તપાસ દરમિયાન શું હકીકત સામે આવે છે તે જોવું જ રહ્યું. પોલીસ દ્વારા જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી તથા PSI વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *