આવા દીકરા કરતા, ઈશ્વરે પથ્થર જણ્યો હોત તો સારું હતું! અ’વાદમાં દીકરા એ જ બાપને મોત ને ઘાટ ઉતારી દીધો

Amedavad: આજ કાલ હત્યાનાં કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે, જેમાં સગા ભાઈ ભાઈની હત્યા કરે, પિતા-પુત્ર જેવા કિસ્સા સામે આવતા હોય છે. અમદાવાદ…

Amedavad: આજ કાલ હત્યાનાં કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે, જેમાં સગા ભાઈ ભાઈની હત્યા કરે, પિતા-પુત્ર જેવા કિસ્સા સામે આવતા હોય છે. અમદાવાદ માં આવો જ એક રુવાડા ઉભા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે, સગા દીકરા એ જ બાપને લાકડી વડે માર મારી મોત ને ઘાટ ઉતાર્યા હતા.

અમદાવાદ જિલ્લાના કોઠ ગામમાં એક શખ્સના મોતને અકસ્માત મોતમાં ખપાવી હત્યાની ઘટનામાં પરિવારે જ નાટક  કર્યા હતાં. જો કે પોલીસને ઘટનામાં શરૂઆતથી જ શંકા જતાં જીણવટપૂર્વક તપાસ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગા દીકરાએ જ પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા. દરરોજ પિતા-પુત્રના ઝગડા થતા હોવાને કારણે દીકરાએ પિતાના માથામાં લાકડીઓ વડે હૂમલો કરતાં પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે, દીકરાને જેલમાં જવુ ના પડે તે માટે અકસ્માતનું ખોટું નાટક રચ્યું હતું.

માતાએ અકસ્માતની ફરિયાદ નોંધાવી
મૃતકના પત્ની જશીબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિને કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી અને આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મૃતક ભરતભાઈને તેમના દીકરા મહેન્દ્ર સાથે વારંવાર ઝગડાઓ થતાં હતાં અને ક્યારેય ક્યારેય મારામારી પણ થતી હતી. આ બાતમીને આધારે પોલીસે શકમંદોની પુછપરછ શરૂ કરી હતી. અને સમગ્ર ઘટના પરથી પડધો ઉચકાયો હતો.

પોલીસની આકરી પુછપરછમાં મૃતક ભરતભાઈના દીકરાએ કબૂલ કર્યું હતું કે, તેના પિતા સાથે તેને ઝગડો થયો હતો. આ દરમિયાન તેણે પિતાને લાકડાનો ધોકો માથાના પાછળના ભાગે માર્યો હતો. ત્યારબાદ ગંભીર ઈજા થતાં ભરતભાઈ ત્યાં જ ઢળી પડ્યાં હતાં અને તેમનું મોત થયું હતું. પોલીસે પુત્રની કબૂલાત બાદ કેસને લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *