મુખ્યમંત્રી રૂપાણીએ તોડ્યો PM મોદીનો ભરોસો, આ ત્રણ મુખ્ય કામો હજી સુધી નથી કરી શક્યા…

ગુજરાત રાજ્યનાં પાટનગર ગાંધીનગર શહેરમાં તરત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બતાવેલાં 3 સ્વપ્ન હાલ પૂરાં થયા નથી. આ સ્વપ્ન ક્યારે પુરા થશે તેની કોઈ ગેરંટી નથી, કેમ…

ગુજરાત રાજ્યનાં પાટનગર ગાંધીનગર શહેરમાં તરત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બતાવેલાં 3 સ્વપ્ન હાલ પૂરાં થયા નથી. આ સ્વપ્ન ક્યારે પુરા થશે તેની કોઈ ગેરંટી નથીકેમ કે આ દિશામાં હાલ સુધી સરકાર દ્વારા કોઇ કામ હાથ પર લેવામાં આવ્યું નથી. આ 3 પ્રોજેક્ટમાં મેટ્રોરેલસાબરમતી રિવરફ્રન્ટ તેમજ પંચામૃત ભવનનું બાંધકામનો સમાવેશ થાય છે.

PM મોદીએ તેમનાં કાર્યકાળમાં સાવ ટૂંકાગાળામાં 3 પ્રોજેક્ટ પુરા કર્યા છે. જેમાં 1 પ્રોજેક્ટ મહાત્મા મંદિરનો હતો. પહેલો તબક્કો મોદીએ 182 દિવસમાં પૂરો કર્યો હતો. 2 પ્રોજેક્ટ સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ બનાવવા માટેનો હતો. આ પ્રોજેક્ટ મોદી એ 200 દિવસમાં પૂરો કરાવ્યો છે. 3 ડ્રીમ પ્રોજેક્ટ PM મોદીએ 350 દિવસમાં પૂરો કર્યો છે તેમજ તે સાબરમતી નદીનાં કિનારે ગિફ્ટ સિટી બનાવવા માટેનો હતો. આ 3 કામ PM મોદીએ તેમનાં ટેન્યોરમાં પુરા કર્યા છે.

PM મોદીએ ત્યારે એવી જાહેરાત કરી હતી કે, ગાંધીનગર શહેરને પણ મેટ્રો ટ્રેન મળશે. ગાંધીનગર સુધી અમદાવાદ શહેરની BRTS લંબાવવામાં આવશે. આ બંને સપનાંઓ PM મોદીએ જોયા હતા પણ રાજકીય ઇચ્છાશક્તિનાં અભાવના કારણે ગાંધીનગર શહેરમાં હાલ સુધી મેટ્રોરેલનાં પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ થયું નથી. BRTSનું જોડાણ પણ ગાંધીનગર શહેરને મળ્યું નથી.

PM મોદીએ મહાત્મા મંદિરને પ્રેરણાનું નામ આપ્યું હતું. સચિવાલયમાં મહેનત કરીને પરિણામ માટે સાબરમતી નદીનાં કિનારે પંચામૃત ભવન બનાવવાનું હતું તેમાં સરકાર દ્વારા કરેલાં કામોની ઝલક તેમજ મ્યુઝિયમ ઉભું કરવાનું હતું, પણ આ પ્રોજેક્ટને તરત મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકાર દ્વારા મોકુફ રાખવામાં આવ્યો હતોજે ફરી ચાલુ થઇ શક્યો નથી. જે તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યાં વૃક્ષોનું ઓછું નિકંદન થાય તે સ્થળે પંચામૃત ભવન બનાવવામાં આવશે પણ અત્યારની સરકારે આ દિશામાં કોઇ નિર્ણય હાલ સુધી કર્યો નથી.

PM મોદીનો 3 પ્રોજેક્ટ રિવરફ્રન્ટનો હતો. અમદાવાદ શહેરમાં ચાલુ થયેલો રિવરફ્રન્ટ ગાંધીનગર શહેર સુધી લંબાવવામાં આવે, પણ સરકાર દ્વારા આ પ્રોજેક્ટને વિલંબમાં નાંખી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરનાં વાસણા થી વાડજ સુધીનો રિવરફ્રન્ટ બનાવી દેવાયો છે પણ તેને ગાંધીનગર શહેર સુધી લંબાવવામાં આવ્યો નથી. જો તેને લંબાવવામાં આવ્યો હોત તો અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર શહેરમાં વાહન ટ્રાફિક નિયમનમાં રાહત થાય તેમ હતી.

ગાંધીનગર શહેરની વસતી વધે છે પણ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જૂની પદ્ધતિથી ચાલે છે. ગાંધીનગરની વસતી 1 લાખ હતી તે સમયે જે બસ સુવિધા હતી તે સુવિધા આજ રોજ 4 લાખની વસતીમાં યથાવત છે. ગાંધીનગર શહેરનાં આ 3 પ્રોજેક્ટ ક્યારે ચાલુ થશે તેમજ ક્યારે પુરા થશે તેની સરકારમાં કોઇની પાસે માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *