ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ વિસ્તારોમાં માવઠા સાથે કડકડતી ઠંડીનો ચમકારો

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજયમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતા ઠંડીના પ્રમાણમાં રાહત થઇ રહી છે. રાજ્યમાં લોકોને…

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજયમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતા ઠંડીના પ્રમાણમાં રાહત થઇ રહી છે. રાજ્યમાં લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 14 જાન્યુઆરી પછી હવામાનમાં પલટો જોવા મળશે.

ઉતરાયણ પછી રાજયના કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટું પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર થશે નહી. તાપમાનમાં આગામી 5 દિવસ એક-બે ડિગ્રીની વધઘટ જોવા મળશે અને પાંચ દિવસ બાદ કડકડતી ઠંડી પડશે તેવી શક્યતા છે.

ઠંડીને લઈને વધુ એક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે  કહ્યું છે કે, પશ્ચિમી વિક્ષોપના કારણે ધીમે-ધીમે ઠંડીમાં રાહત મળશે. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. 14 જાન્યુઆરી પછી વાતાવરણમાં ઠંડક જોવા મળશે તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે. ઠંડીનું મોજુ સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને  જામનગરમાં જોવા મળશે. તેમને એમ પણ કહ્યું કે, જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં વરસાદી ઝાપટું પણ પડી શકે છે.

જો અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદી ઝાપટું પડશે તો ડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. શરૂઆતમાં વાદળ-વાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો વરસાદી ઝાપટું પડશે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થઇ શકે છે. વધુમાં કહ્યું કે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયુ રહે.

કેટલાક દેશના ભાગોમાં તા.12-જાન્યુઆરી સુધીમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના રહેશે. ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે તેવી પણ સંભાવના છે. 12-જાન્યુઆરી આસપાસ હવામાનમાં મોટો પલટો જોવા મળશે તેવી શક્યતાઓ છે. તા.16 થી 21માં હવામાનમાં પલટો આવતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22, 23, 24જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવી શકે છે. વાદળ-વાયુ, ઠંડીનો ચમકારો રહે. 16થી 21 જાન્યુઆરી સુધી રાજ્યના હવામાનમાં પલટો આવતા કેટલાક સ્થળોએ માવઠું વરસવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તા.23 થી 27માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની થશે તેવી પણ સમભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *