મોટી દુર્ઘટના: પ્રવાસીઓને લઈને જઈ રહેલી બોટ પલટી- 17 લોકોના મોત

બહામાસ(Bahamas)ના દરિયાકાંઠે હૈતી(Haiti)ના સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ પલટી ગઈ હોવાના અહેવાલ છે. આ અકસ્માત(Accident)માં 17 લોકોના ડૂબી જવાથી મોત(17 people died) થયા છે. સમાચાર…

બહામાસ(Bahamas)ના દરિયાકાંઠે હૈતી(Haiti)ના સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ પલટી ગઈ હોવાના અહેવાલ છે. આ અકસ્માત(Accident)માં 17 લોકોના ડૂબી જવાથી મોત(17 people died) થયા છે. સમાચાર એજન્સી રોઇટર્સે અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, હૈતી સ્થળાંતર કરનારાઓનું એક જૂથ સામૂહિક હિંસા અને ગરીબીથી બચવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે અકસ્માત સર્જાયો હતો.

બહામિયાના વડા પ્રધાન ફિલિપ ડેવિસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બચાવકર્તાઓએ એક બાળક સહિત 17 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડેવિસે કહ્યું કે અધિકારીઓ માને છે કે તેઓ બધા સ્પીડબોટમાં મિયામી જઈ રહ્યા હતા.

સ્પીડબોટમાં 60થી વધુ લોકો સવાર હતા:
પોલીસ કમિશનર ક્લેટન ફર્નાન્ડરે જણાવ્યું કે સ્પીડ બોટમાં 60થી વધુ લોકો સવાર હતા. એવું માનવામાં આવે છે કે સ્પીડબોટ ઓવરલોડિંગને કારણે તેનું સંતુલન ગુમાવી દીધી હતી અને સમુદ્રની વચ્ચે પલટી ગઈ હતી. ન્યૂ પ્રોવિડન્સ આઇલેન્ડથી લગભગ 7 માઇલ (11 કિમી) દૂર આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે.

માનવ તસ્કરીના ગુનામાં 2 શકમંદોની ધરપકડ
બહામિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે માનવ તસ્કરીની શંકાસ્પદ કામગીરીમાં બે લોકોને બહામાસમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઈમિગ્રેશન મિનિસ્ટર કીથ બેલે જણાવ્યું હતું કે અકસ્માતમાં બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ સફર માટે $3,000 થી $8,000 ની વચ્ચે ચૂકવણી કરી હતી.

મૃતકોમાં 15 મહિલાઓ, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ:
બહામાસના વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે એક નિવેદનમાં જણાવ્યું કે, મૃતકોમાં 15 મહિલાઓ, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બચાવાયેલા લોકોને દેખરેખ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડેવિસે જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ શોધી કાઢ્યું છે કે એક ડબલ એન્જિનવાળી સ્પીડબોટ બહામાસથી મોડી રાતે લગભગ 1 વાગે રવાના થઈ હતી, જેમાં 60 લોકોને લઈને દેખીતી રીતે મિયામી જઈ રહી હતી. ડેવિસે જણાવ્યું હતું કે માનવ તસ્કરીના શંકાસ્પદ ઓપરેશન અંગે ગુનાહિત તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

બહામાસના પીએમ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે:
ડેવિસે કહ્યું, “હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે અમારી સરકાર અને બહામાસના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

હૈતીના પીએમએ શોક વ્યક્ત કર્યો:
હૈતીના વડા પ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તેઓ પીડિતોના માતાપિતા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તેમણે કહ્યું, “આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે. આપણા ભાઈઓ, આપણી બહેનો, આપણા બાળકોને આપણી ધરતીથી દૂર લઈ જતી સમસ્યાઓના નિરાકરણ માટે હું ફરી એકવાર રાષ્ટ્રીય સમાધાનની અપીલ શરૂ કરું છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *