સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરી પરત ફરતા બાઈક સવારોને નડ્યો અકસ્માત; બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Botad Accident: ફરી એકવાર ગુજરાતમાંથી અકસ્માત સામે આવ્યો છે. અવાર-નવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. જયારે બોટાદ(Botad Accident) શહેરનાં સાળંગપુર રોડ પર ફોરવ્હીલર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

સાળંગપુર દર્શને આવેલાં યુવકોના અકસ્માતમાં મોત
મળતી માહિતી મુજબ, બાઈકમાં સવાર બે યુવાનો કષ્ટભંજન દેવના દર્શન કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે સામેથી આવતી કારે બંનેને ફંગોળ્યા હતા. ઘટનામાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત મોત નીપજ્યાં છે. મૃતક બંને યુવાનો બોટાદ શહેરનાં રહેવાસી હતા.

સાળંગપુર દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. બોટાદના સાળંગપુર રોડ ઉપર બોટાદમાં રહેતા યશ વિજયભાઈ અને તુષાર હિતેશભાઈ નામના બંને યુવાનો સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યાં હતા.

તે દરમિયાન સામેથી આવી રહેલી GJ-11-CH-4028 નંબરની કારે બાઈક નંબર GJ-04-BP-6296 સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર બંને યુવાનો હવામાં ફંગોળાઈ દૂર ફેંકાયા હતા અને કાર અને બાઈકનો બુકડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પરિવારને જાણ થતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન.