સુખી સંપન્ન પરિવારના વૃદ્ધ મહિલાએ કરી લીધો આપઘાત- સુસાઇડ નોટ વાંચી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ

સમગ્ર દેશ (India) માં આપઘાત (Suicide) ના  બનાવોમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને આજની યુવા પેઢી આસાનીથી હિમ્મત હારી જતા હોય છે.…

સમગ્ર દેશ (India) માં આપઘાત (Suicide) ના  બનાવોમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને આજની યુવા પેઢી આસાનીથી હિમ્મત હારી જતા હોય છે. જેને લીધે નાની બાબતોને લઈ નજીવું લાગતા આપઘાત કરી લેતા હોય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે કે, જેમાં એક વૃદ્ધ મહિલા (Old lady) એ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.

આ વૃધ્ધાનુ નામ આનંદબેન બાબુભાઈ પોલ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે, અમદાવાદ વસ્ત્રાલ તળાવ પાસે અવાવરુ જગ્યા પર એક વૃધ્ધાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વૃધ્ધાનો મૃતદેહ એવી હાલતમા મળી આવી હતી કે, શરૂઆતમાં હત્યા કરી હોય તેવું પોલીસને લાગ્યું હતું.

પોલીસ તપાસમા જાણવા મળી રહ્યું હતુ કે, વસ્ત્રાલમાં રહેતા તેજેન્દ્ર ક્રિસ્ટલમાં વૃધ્ધ મહિલાનુ નામ આનંદીબેન બાબુભાઈ પોલ હતુ તેમજ તેની ઉમર 63 વર્ષની હતી. આનંદની બહેને ઘર છોડીને ચાલ્યા ગયા હતા તેમજ ઘર છોડવા પાછળનું કારણ તેની બીમારી હતી.

આની ઉપરાંત તેમને સ્યુસાઈડ નોટમા કહ્યું હતું કે, હુ બીમારીની દવા ખાઈને કંટાળીને આપઘાતનું પગલું ભરું છું. આ માટે બીજું કોઈ જવાબદાર નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, વૃદ્ધ મહિલા આનંદીબેન જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો. જયારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા FSLના રિપોર્ટ આવ્યા પછી સમગ્ર ઘટનાની હકીકત જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *