અમદાવાદના માથે અકસ્માતની ઘાત: ઇસ્કોન-મણીનગર બાદ હવે ઉસ્માનપુરામાં સર્જાયો અકસ્માત: બેફામ કાર ચાલકે રાહદારીને લીધા અડફેટે

Ahmedabad Car Accident: અમદાવાદમાંથી એકપછી એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે મણીનગરમાં અકસ્માત સર્જાયા પછી શહેરના ઉસ્માનપુરા નજીકથી અકસ્માતના (Ahmedabad Car Accident)…

Ahmedabad Car Accident: અમદાવાદમાંથી એકપછી એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે મણીનગરમાં અકસ્માત સર્જાયા પછી શહેરના ઉસ્માનપુરા નજીકથી અકસ્માતના (Ahmedabad Car Accident) સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે રોડ ઉસ્માનપુરા નજીક કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

ઉસ્માનપુરા નજીકની ઘટના

મળતી માહિતી મુજબ, શહેરના ઉસ્માનપુરા નજીક આવેલી એસ્પાયર હોટલની સામે આજે સવારે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન વેગેનાર કારના ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે પછી આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેવી માહિતી મળી રહી છે.

ગઈકાલે રાત્રે મણીનગરમાં સર્જાયો હતો અકસ્માત

અત્ર ઉલ્ખેનીય છે કે, ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો. મણીનગર વિસ્તારમાં આવેલા જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઉધી પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *