સુરતમાં વધુ એક ‘ગ્રીષ્મા’ હણાઈ- પત્ની ઘર મંદિરમાં પૂજા કરતી હતી ને પતિએ ગળું ચીરી નાખ્યું- પોલીસે ઉકેલ્યો ભેદ

આજકાલ સુરત(Surat)માં અવારનવાર હત્યા કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા બનેલ ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ એક ઘટના ફરીવાર સુરતના કાપોદ્રામાં બની…

આજકાલ સુરત(Surat)માં અવારનવાર હત્યા કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા બનેલ ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ એક ઘટના ફરીવાર સુરતના કાપોદ્રામાં બની છે. સુરતના કાપોદ્રા(Kapodra)માં બનેલ આ ઘટનામાં પણ ચપ્પુના ઘા ઝીંકી એક યુવતીનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જયારે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને વધુમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, આ કિસ્સામાં પોતાના જ પતિ દ્વારા પત્નીની હતા કરવામાં આવી હતી. જયારે આ અવારનવાર હત્યાના કિસ્સાઓ જોતા લાગી રહ્યું છે કે, આજકાલ હત્યારાઓને પોલીસનો કોઈપણ ડર રહ્યો નથી.

જેથી પોલીસથી ડર્યા વગર જ હત્યા કરી રહ્યા છે. જયારે આ કિસ્સામાં કહેવાય રહ્યું છે કે, હત્યારાની જમીન વેચાતા જે પણ રૂપિયા આવ્યા હતા તે રૂપિયા માંથી દુકાન ખરીદવાની જીદ કરતા પતિ દ્વારા પત્નીનું ગળું કાપીને નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી.

પોલીસએ હત્યા કરવામાં આવેલ ચપ્પુનો કબજો મેળવ્યો:
કહેવામાં આવી રહ્યું છે કે, સવારના અંદાજીત 9:30 થી 9:45 વાગ્યાની આસપાસ જયારે સ્નેહલતા ઘરમાં મંદિર સામે બેઠી બેઠી ભગવાનની પૂજા કરી રહી હતી. તે દરમિયાન પતિ પાછળથી ચપ્પુ લઈને આવે છે અને સ્નેહલતાના ગળાના ભાગે બેથી ત્રણ ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. તેમજ હત્યા કર્યા પછી ચપ્પુ તેની સાથે લઈને જ ઘરેથી તે બહાર નીકળી જાય છે. જયારે આ ચપ્પુને ખાંડબજાર ગરનાળા પાસે સર્વોદય બેંકની નજીકમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા ગતરોજ મોડીરાત્રે સ્નેહલતાની હત્યા માટે વાપરવામાં આવેલ ચપ્પુ પણ ખાંડબજાર ગરનાળા પાસેથી જપ્ત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *