ભરતસિંહ સોલંકી બાદ તેના ભાઈ અમિત ચાવડા પર પણ લાગ્યા વ્યભિચારના આરોપ: વંદના પટેલે ખોલ્યો રાજ

ગુજરાત(Gujarat): હાલમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસ(Congress)ની સ્થિતિ એક સાંધે ત્યાં બીજા તેર તૂટે તેના કરતા પણ વધારે ખરાબ થઇ ચુકી છે તેમાં…

ગુજરાત(Gujarat): હાલમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસ(Congress)ની સ્થિતિ એક સાંધે ત્યાં બીજા તેર તૂટે તેના કરતા પણ વધારે ખરાબ થઇ ચુકી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની નિમણુક પછી પણ ગુજરાતના રાજકારણમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવ્યો નથી અને દિવસે ને દિવસે ગુજરાતમાં કોંગ્રેસની નૈયા ડૂબી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસીંહ સોલંકી(Bharatsinh Solanki)નો એક વિવાદ સામે આવી ગયો હતો. ત્યારે હવે અમિત ચાવડા(Amit Chawda) પર પણ વ્યભિચારના આરોપ લાગતા રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે.

જોવામાં આવે તો કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા દાખવવામાં પણ સંદતર નિષ્ફળ નીવડી છે, ત્યારે ગુજરાતીઓ પણ કોંગ્રેસથી કંટાળી ચુક્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના એક પછી એક કૌભાંડો અને કુકર્મો જનતા સમક્ષ આવતા જનતામાં રોષની લાગણી જોવા મળી રહી છે. પહેલા ભરતસિંહ સોલંકી અને હવે અમિત ચાવડા પર ગંભીર આરોપ લાગતા રાજકારણ ગરમાયું છે.

ગુજરાતમાં કોંગ્રેસની નૈયા હાલ ડૂબતી સ્થિતિમાં દેખાઈ રહી છે. ત્યારે પુર્વ ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર શહેર પ્રભારી, પુર્વ પ્રદેશ પ્રતિનીધી કલોલ તાલુકા અને ગાંધીનગર તાલુકા કોંગ્રેસ પ્રભારી વંદનાબેન પટેલ દ્વારા એક પ્રેસ નોટ લેટરના નામે ભરતસિંહ સોલંકી બાદ હવે અમિત ચાવડા અંગે મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જે જાણીને કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ પણ દંગ રહી જશે.

ત્યારે વંદના પટેલે પ્રેસ નોટના માધ્યમથી જણાવ્યું છે કે, ભરત સિંહ સોલંકી તેમના વ્યભિચાર અને અનીતિ કાર્યોમાં સહભાગી હોય તેવા લોકોને છાવરી ને પક્ષની સામાજિક છવીને વખતો વખત લાંછન લગાડતા આવ્યા છે. તેઓની તમામ ગંદી રાજ રમતોનું હું 2017 થી પક્ષમાં જોડાઈ ત્યારથી સતત અવલોકન કરતી રહી છું.

અમિત ચાવડા પર પણ લાગ્યા વ્યભિચારના આરોપ:
અમિત ચાવડા કે જેઓ માજી પ્રમુખ અને ભરત સિંહ ના ભાઈ છે તેઓ પણ તેમનાં રબરસ્ટેમ્પ તરીકે તેમની ગંદી નીતિમાં સંડોવાઈ પક્ષને તળિયે બેસાડી દેવાનું કૃત્ય કર્યું છે, જેનું પરિણામ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં આપડે જોયું પક્ષનાં ગુણવાન, વફાદાર અને પક્ષને સમર્પિત દરેક કાર્યકર બંધુજ જાણતો હોવા છતાં પરસ્પર પોતાનો બળાપો ઠાલવીને ચૂપ બેસી રહે છે અને નિષ્ક્રીય થઈ જાય છે. સંગઠનમાં કવોલિટી અને મેરીટના આધાર પર જેની સમાજ અને વિસ્તારમાં માન અને પ્રતિષ્ઠા છે તેવા લોકો ને બદનામ કરવા ની રાજરમતો રમી ને પોતાના એજન્ટો કે જેમની બિલકુલ કોઈ ગુડવિલ નથી, પક્ષને નુકસાનકર્તા છે તેવા લોકો નો અડ્ડો બનાવી દીધો છે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, હું 2017 માં પક્ષને સત્તા પર લાવવાના હેતુથી જોડાઈ ત્યારથી અવિરત પણે કામ કર્યું છે. મૂલ્યાંકન કરી સારા, નરસા પાસાઓનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. હું જે વાત કરી રહી છું તે ફક્ત મારી જ વેદના નથી પણ કોંગ્રેસના લાખો શુભેચ્છકો, વફાદાર કાર્યકરો અને સજ્જનોની વેદના નો ચિતાર રજૂ કર્યો છે. મારી અન્યાય સામે ની લડાઈમાં તમામ લોકો ના સમર્થન અને સહકાર માટે સતત ફોન અને મેસેજ આવી રહ્યા છે જેથી મારો પક્ષ માટે કરેલો x-રે સત્ય પુરવાર થઈ રહ્યો છે.

વંદના પટેલે વધુમાં ઉમેરતા કહ્યું છે કે, ભરતભાઈ સોલંકીના પત્નિ રેશ્મા બેન સોલંકી કે જેઓ પોતાના પતિના વ્યભિચારનાં ત્રાસ થી કટાળીને આત્મ હત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યા હતા તેઓને મેં હક, પ્રેમ, અને સહકાર આપીને જિંદગીના પડકાર ને ઝીલી ને જીવવાની પ્રેરણા અને હિમ્મત આપી. આ વાતની જાણ  ભરત સોલંકીના રબરસ્ટેમ્પ તરીકે કાર્ય કરતા તેમના ભાઈ અમિત ચાવડાને થતા તેઓએ મારું રાજકરણ પૂરું કરવા ની ધમકી સાથે અતુલભાઈ પટેલનો ઉપયોગ કરી મારું ઓડિયો બનાવવાનું દુસાહસ કર્યું છે અને તેનો ઉપયોગ કરી મારા એક સબંધી ને બોલાવી સમાધાન નહીં કરું તો ઓડિયો વાઇરલ કરવાની ધમકી આપી. મેં મારા સબંધી ને સ્પષ્ટ જણાવી દીધું કે, હું તેમનાં પર બિલકુલ વિશ્વાસ કરી શકું. જેથી અગાઉ મને આપેલ ધમકી પ્રમાણે તેજ દિવસે રાત્રે 11 વાગે મીડિયાના માધ્યમ થી તે ઓડિયો વાઇરલ કરવામાં આવી પક્ષના તમામ લોકો ની પરસ્પર વાતોના રેકોર્ડિંગ થાય અને તેને મીડીયામાં વાઇરલ કરવાના ષડયંત્રો થાય તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની ખુરશી પણ સસ્પેન્ડ થઈ જાય તેવો ફોબિયા મેં સતત અનુભવ કર્યો છે.

આ ઉપરાંત દ્વારકા શિબિરમાં 7 મી ફેબ્રુઆરી એ અમિત ચાવડાની એક મહિલા સાથે ગ્રુપમાં પર્સનલ ચેટ વાઇરલ થઇ હતી જેની મને જાણ થતા મેં પોતે પણ તે ગ્રુપમાં જોયું અને તે અંગે અમિત ચાવડાનું ધ્યાન પણ દોર્યું. તે પછી તેઓએ તે ચેટ મેસેજ ડીલીટ કરી દીધા. આ બાબતે તેઓએ મારો આભાર માનવાની જગ્યાએ મારું રાજકરણ પૂરું કરવાની ધમકી આપી અને આ ચેટ નો અસ્વીકાર કર્યો. મેં સત્ય માટે કર્યા વિના ખુલ્લી ચેલેન્જ આપી હતી કે આ ચેટ કોઈએ પણ બદનામ કરવા કર્યો નથી. સાચા હોય તો સાઇબર ક્રાઈમમાં તપાસ કરાવી લો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ભગવાને તેમને અજાણતા પારદર્શક કર્યા છે. એટલે ગમે તેટલા ગુનાઓ ભલે બુદ્ધિ પૂર્વક કરવામા આવે પણ ઉપર ભગવાન બેઠો છે એ સ્વીકાર કરી લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *