શું તમારે પણ આધાર કાર્ડમાં વિગત ખોટી છે, તો ભાગ-દોડ કરતા નહિ. ચપટી વગાડતા થઇ જશે કામ

ભારત સરકારે દરેક કામ સરળ કરે તે માટે 28 જાન્યુઆરી 2009ના રોજ આધાર કાર્ડની શરૂઆત કરી હતી. આ એક માત્ર કાર્ડ છે કે દરેક જગ્યા…

ભારત સરકારે દરેક કામ સરળ કરે તે માટે 28 જાન્યુઆરી 2009ના રોજ આધાર કાર્ડની શરૂઆત કરી હતી. આ એક માત્ર કાર્ડ છે કે દરેક જગ્યા પણ કામ લાગી શકે છે. જો તમારી પાસે આ કાર્ડ હોય તો તમારા બધા જ કામ પુરા થઇ શકે છે. અને સાથે સાથે દરેક સરકારી કામો પણ પાર પાડી શકો છે. તો તમને નવાઈ લાગશે કે આધાર કાર્ડ આવ્યા ને તો ઘણો સમય થયો પરંતુ તેમાં કોઈ સુધારા-વધારા આવ્યા હોય અથવા કોઈ જાતે કરવા હોય તો કેવી રીતે કરવા ? અને આ કામ કરવા કયા-ક્યાં જવું તો આ દરેક સવાલના જવાબ તમને અહીં મળી રહેશે.

ખાસ કરીને તમારા આધાર કાર્ડમાં તમારું રહેઠાણ/સરનામું બદલવું હોય તો શું કરવું ? આ સવાલ તમને થતો હશે. પણ આ એક કામથી તમારું સરનામું તમે બદલી શકશો. સરકારે આધાર કાર્ડમાં સરનામુ બદલવાના નિયમો સરળ બનાવ્યા છે. હવે ફક્ત સોગંદનામું રજૂ કરીને સરનામું બદલી શકાશે.આ નવા નિયમને કારણે બેંક ખાતું ખોલવું સરળ બનશે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (મેઇટેનન્સ ઓફ રેકોર્ડ), નિયમોમાં સુધારો કર્યા પછી આધાર કાર્ડમાં સરનામું બદલવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઘર બદલનાર વ્યકિતને પોતાના આધારકાર્ડમાં નવું સરનામું નાખવા માટે ફક્ત સોગંદનામું રજૂ કરવું પડશે.

ઘણા સમયથી માગ હતી કે આાૃધાર કાર્ડમાં સરનામું બદલવાના નિયમો સરળ બનાવવામાં આવે. પોતાનું વતન છોડીને અન્ય શહેરમાં નોકરીએ જનારા લોકો માટે પણ પોતાના આધાર કાર્ડમાં સરનામું બદલવું હવે સરળ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *