આર્મી જવાને આખા પરિવારને ગોળીએ વીંધી આપઘાત કર્યો- બહાર આવ્યું સંગીન કારણ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી શનિવારે એક હૈયું હચમચાવી દે તેવી ખબર સામે આવી રહી છે. જ્યાં સીઆરપીએફના એક જવાન એ પોતાની પત્ની અને બે બાળકોને ગોળી…

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી શનિવારે એક હૈયું હચમચાવી દે તેવી ખબર સામે આવી રહી છે. જ્યાં સીઆરપીએફના એક જવાન એ પોતાની પત્ની અને બે બાળકોને ગોળી મારી દીધી. તેના બાદ સીઆરપીએફ જવાન એ પોતાનો જીવ પણ લઈ લીધો. આ ઘટના થરવાઈના પડીલા ગ્રુપ સેન્ટર ની છે. ઘટનાની ખબર પડ્યા બાદ કેમ્પમાં હડકંપ મચી ગયો.

ઘટનાની સુચના મળતાની સાથે જ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા અને ઘટનાની તપાસમાં જોડાઈ ગયા. સીઆરપીએફના જવાનનું નામ વિનોદ હતું. તેણે પોતાની પત્ની વિમલા, દીકરો સંદીપ અને બેટી સીમરનની ગોળી મારી હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે જાતે પણ જીવ આપી દીધો.

પ્રયાગરાજમાં સામૂહિક હત્યાકાંડ નો મામલો

થોડા દિવસ પહેલા પ્રયાગ્રજમાં જ સામૂહિક હત્યાકાંડનો મામલામાં એક ચોંકાવનારી જાણકારી સામે આવી હતી જેમાં પીડિત પરિવારના દીકરા નું એક મહિલા સાથે આડાસંબંધનો વિરોધ કરવો ઘરવાળાને ભારે પડી ગયો હતો. બાદમાં દીકરાએ જ આખા પરિવાર ની હત્યા કરાવી નાખી હતી. હવે તપાસમાં ખબર પડી છે કે પીડિત પરિવારનો દીકરો જ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ છે.

એટલું જ નહીં હત્યારા દીકરાએ આઠ લાખ રૂપિયામાં મિત્રને સુપારી આપી સોદો કર્યો હતો અને ઘરમાં માતા-પિતા બહેન અને પત્નીની હત્યા કરાવી નાખી. પોલીસે આ ઘટનામાં આતિશ તેમજ અનુજ શ્રીવાસ્તવને ગિરફતાર કર્યા છે. આતિશ એ આખા પરિવાર ની હત્યા કરાવી છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. વધુમાં ખનીજ પોલીસ સ્ટેશનના પીતમ નગર વિસ્તારમાં ઘટના બાદ દહેશતનો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *