India-Pakistan War: લગ્નના બીજા જ દિવસે આવ્યો બુલાવો: દુલ્હનને છોડી દુલ્હો ગયો સરહદ પર…

Indian Army: બોલીવુડ ફિલ્મ બોર્ડરની જેમ, બિહારના બક્સર જિલ્લામાં એક સત્યઘટના સામે આવી છે, જેણે બધાને ભાવુક કરી દીધા છે. જિલ્લાના કેશવ બ્લોકના (Indian Army) નંદન ગામના રહેવાસી ત્યાગી યાદવે 7 મેના રોજ પ્રિયા કુમારી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ હજુ તો દુલહમમાં હાથની મહેંદી પર ઉતરી નથી તેમને બીજા જ દિવસે એટલે કે 8 મેના રોજ ફરજ પર પાછા ફરવાનો આદેશ મળ્યો. દેશની રક્ષા કરવાની ફરજના કારણે તેમને તેમની નવપરિણીત પત્નીને છોડીને સરહદ તરફ જવાની ફરજ પડી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, સેનાએ તેના તમામ સૈનિકોની રજા રદ કરી દીધી છે. સરહદ પર પરિસ્થિતિ સંવેદનશીલ રહે છે, તેથી ત્યાગી યાદવની રજા પણ રદ કરવામાં આવી હતી અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેઓ એક સંવેદનશીલ પોસ્ટ પર તૈનાત છે, જ્યાં દરેક ક્ષણે તકેદારી રાખવી જરૂરી છે.

ત્યાગી યાદવ કહે છે કે તેમણે ખાસ કરીને લગ્ન માટે રજા લીધી હતી, પરંતુ હવે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પરિસ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં, દેશ પ્રત્યેની ફરજ વ્યક્તિગત જીવન કરતાં મોટી બની જાય છે. તેમનો આ નિર્ણય આખા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાગીનો પરિવાર પણ તેમની દેશભક્તિ પર ગર્વ અનુભવી રહ્યો છે. તેમના માતા-પિતાએ તેમને આશીર્વાદ આપીને વિદાય આપી. ખાસ વાત એ છે કે ત્યાગીનો પરિવાર પહેલાથી જ લશ્કરી પરંપરામાં મૂળ ધરાવે છે.

તેમના પિતરાઈ ભાઈ ઓમપ્રકાશ યાદવ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં પોસ્ટેડ છે અને મામા મંગલ યાદવ પણ સેનામાં છે. ત્રણ પેઢીઓથી દેશની સેવા કરી રહેલ આ પરિવાર આજે આખા ગામનું ગૌરવ છે. ત્યાગી યાદવનો આ કર્તવ્યનિષ્ઠ નિર્ણય માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.