વર્ષોથી ગૌમાતાની સેવા કરતા ગૌ સેવકે અચાનક આપઘાત કરી લીધો- સુસાઈડ નોટમાં કર્યો મોટો ધડાકો

ગુજરાત(Gujarat): રાજ્યમાં આવારનવાર અનેક આપઘાતની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે અને આ આપઘાતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં આવારનવાર અનેક આપઘાતની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે અને આ આપઘાતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ગોંડલ(Gondal)ની હદમતાળા(Hadamtala) ગૌશાળાના ગૌ સેવકે સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા શોકની લાગણી છવાય જવા પામી છે. ગૌ સેવકે પોતાની મરજીથી આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં ગોંડલ તાલુકા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ગોંડલમાં કોલીથડ નજીક આવેલી હડમતાળા ગૌ શાળામાં 10 વર્ષથી ગૌસેવાનું કામ કરતા આત્મારામ ગોંડલીયા(ઉં.વ 50)એ ગઈકાલના રોજ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતક આત્મારામ ગોંડલીયાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગૌસેવકે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સાથે જ ગામમાં પણ શોકની લાગણી ફરી વળી છે.

મહત્વનું છે કે, ગૌ સેવક દ્વારા આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી. જેમાં તેમણે પોતાની મરજીથી આપઘાત કર્યો છે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “કોઈએ કંઈ કીધું નથી, કોઈનો વાંક નથી હું મારા હાથે સુસાઈડ કરું છું, સમાધિ દેવાની નથી અગ્નિદાહ દેવાનો છે.”

અચાનક જ ગૌસેવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને હડમતાળા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *