અયોધ્યા રામ મંદિરના નિર્માણ પહેલા જ આતંકી હુમલાનું મોટું કાવતરું, આતંકવાદીઓ ઘડી રહ્યા છે આ પ્લાન

ગુપ્તચર એજન્સીઓએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને રામ મંદિર પર હુમલાના આતંકવાદીઓના કાવતરાનો ખુલાસો…

ગુપ્તચર એજન્સીઓએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને રામ મંદિર પર હુમલાના આતંકવાદીઓના કાવતરાનો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓને હુમલાના ઈનપુટ મળ્યા છે અને જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ સુસાઈડ બોમ્બથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જણાવી દઈએ કે શ્રી રામ મંદિરના નિર્માણનું 50 ટકાથી વધુ કામ થઈ ગયું છે અને આ વર્ષના અંત સુધીમાં મંદિર તૈયાર થઈ જશે.

એલર્ટ બાદ પોલીસે સુરક્ષા સઘન બનાવી દીધી હતી
અયોધ્યામાં જ્યાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં સુરક્ષા પહેલેથી જ કડક છે. ગુપ્તચર એજન્સીઓના એલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ (યુપી પોલીસ) પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે અને તેણે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે, જેથી હુમલાખોરો તેમના મનસૂબામાં સફળ ન થાય.

ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાનું કાવતરું ઘડ્યું છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલાને અંજામ આપવા માટે આતંકીઓ પાકિસ્તાનથી નેપાળ અને નેપાળ થઈને ભારતમાં ઘૂસવાની યોજના બનાવી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ નેપાળના માર્ગે ભારતમાં આત્મઘાતી ટુકડી એટલે કે આત્મઘાતી બોમ્બર સ્ક્વોડ મોકલીને હુમલાની યોજના બનાવી રહ્યું છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલાને અંજામ આપવા માટે આતંકીઓ પાકિસ્તાનથી નેપાળ અને નેપાળ થઈને ભારતમાં ઘૂસવાની યોજના બનાવી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ નેપાળના માર્ગે ભારતમાં આત્મઘાતી ટુકડી એટલે કે આત્મઘાતી બોમ્બર સ્ક્વોડ મોકલીને હુમલાની યોજના બનાવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *