‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ના સેટ પર પરત ફરી ‘બબીતા જી’, જાણો ક્યાં કારણેસર હતી નારાજ 

મુંબઈ: ટીવીનો સૌથી ફેમસ કૉમેડી શો છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. આ શોમાં છેલ્લા થોડા મહિનાઓથી ‘બબીતા જી’નું પાત્ર નિભાવી રહેલી મુનમુન દત્તા ગાયબ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, મુનમુન દત્તાએ શો છોડી દીધો છે. જોકે, અત્યારસુધી આ અંગે મુનમુન દત્તા તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. હવે ‘બબીતા જી’ના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સૂત્રોનું માનીએ તો મુનમુન દત્તા સેટ પર પરત ફરી છે.

ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, મુનમુન દત્તાએ ટીવી શોમાં વાપસી કરી લીધી છે. ઉપરાંત, મુનમુન દત્તાએ શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આપણે સૌ જાણીએ જ છીએ કે, મુનમુન દત્તા ટીવી શોમાં ‘બબીતા’નું પાત્ર નિભાવી રહી છે. એવું પણ કહેવામાં આવે છે કે, આ અઠવાડિયે જ મુનમુન દત્તા ટીવી શોમાં જોવા મળી શકે છે.

સૂત્રોના કહેવા અનુસાર, મુનમુન ટીવી સેટ પર પહોંચતા જ તમામ સભ્યો ચકિત થઈ ગયા હતા. કારણ કે સેટ પર તમામ લોકોને લાગી રહ્યું હતું કે, તે ફરીથી કામ પર નહીં આવે. એવું કહેવાય છે કે, મુનમુન દત્તા અને સીરિયલના પ્રોડ્યુસર આસિત મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં મામલો સુલટી ગયો છે અને વીતી ગયેલી વાતોને ભૂલીને આગળ વધવાની વાત થઈ હતી.

નોંધનીય છે કે, થોડા સમય અગાઉ મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જાતિવિષયક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મુનમુનના આ વીડિયો પર ખૂબ વિવાદ થયો હતો. ત્યારબાદ અભિનેત્રીએ માફી પણ માંગવી પડી હતી. ‘તારક મહેતા…’ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ મુનમુન દત્તાને કહ્યું હતું કે, તેણે જે જાતિવિષયક શબ્દો ઉચ્ચાર્યાં હતા તેના માટે ફરીથી માફી માંગવી પડશે. કારણ કે, ટ્વિટર પર જે માફી માંગી હતી તે પૂરતી નથી. જાણવા મળ્યું છે કે, મુનમુન દત્તાએ આસિત મોદીની વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે વિવાદ થયો હતો. જોકે, હવે બંને વચ્ચે બધુ બરાબર થઈ ગયું છે અને મુનમુન દત્તા સેટ પર પરત આવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *