માટીના વાસણ પર રોટલી શેકવી સૌથી વધુ છે ફાયદાકારક, આજે જ સુધારો તમારી આ ભૂલ

સમયની સાથે આપણી આદતો પણ બદલાઈ છે. અગાઉ ભારતમાં માટીના વાસણ પર રોટલી બનાવવાની પ્રથા હતી. પરંતુ ધીરે ધીરે માટીના વાસણ ભૂલી ને લોકો લોખંડ, સ્ટીલ અને નોન-સ્ટીક ના વાસણ નો ઉપયોગ કરવા લાગ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બેદરકારીને કારણે આપણે ઘણા ફાયદા ગુમાવી રહ્યા છીએ. કારણ કે માટીના વાસણ પર રોટલી બનાવવી સૌથી વધુ ફાયદાકારક છે.

જ્યારે આયુર્વેદિક નિષ્ણાત ડો.અબરાર મુલ્તાની સાથે આ જીવનશૈલીની ભૂલ વિશે વાત કરી તેમના મતે, એલ્યુમિનિયમ 87 ટકા, પિત્તળ 7 ટકા અને કાંસ્ય 3 ટકા ખોરાકના પોષણ નું નાશ કરે છે. પરંતુ માટીના વાસણમાં ખોરાકનું 100 ટકા પોષણ સુરક્ષિત રહે છે.

માટીના વાસણ પર રોટલી બનાવવાના ફાયદા
1.
આજકાલ મોટાભાગના લોકો પેટમાં ગેસની ફરિયાદ કરે છે. પરંતુ, માટીના વાસણ પર રોટલી રાંધવાથી ગેસની સમસ્યામાંથી રાહત મળે છે.
2.માટીના વાસણ પર બનાવેલી રોટલી કબજિયાતથી પરેશાન લોકોને રાહત આપે છે.
3.
માટીના વાસણ ઝડપથી ગરમ થતી નથી.એટલા માટે તમારી રોટલી બળતી નથી.
4.જમીનમાં રહેલા પોષક તત્વો રોટલીમાં શોષાય છે અને ઘઉંના લોટના ગુણધર્મો નાશ પામતા નથી. જે તમને અનેક રોગોથી રક્ષણ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *