તસ્કરોએ ઘરમાંથી 25 લાખની કરી ચોરી, માલિકને ખબર પડતા- બની એવી ઘટના કે…

આજકાલ ચોરીની ઘટના સતત વધી રહી છે. તસ્કરો ખુલ્લેઆમ લુંટ મચાવતા જોવા મળે છે જાણે તેમને કોઈનો ડર જ ન હોય. આ દરમિયાન એક એવો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના ઘરમાં ચોરી થયાનું જાણીને યુવકને હાર્ટએટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઝગડિયા તાલુકાના અછાલિયા ગામના મોટા ફળિયામાં આવેલા એક મકાનને નિશાન બનાવીને તસ્કરોએ સોના-ચાંદી અને રોકડ સહીત 3 ઓળખ મળીને કુલ 25 લાખની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે મકાન માલિકને જાણ થતા તેમને હાર્ટએટેક આવ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

સુરતના રાંદેર રોડ પર આવેલી સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા જયકુમાર રાવ અને તેનો પરિવાર દ્વારા દર વર્ષે પોતાના મૂળ વતન ઝગડીયા તાલુકાના અછાલિયા ગામના મોટા ફળીયામાં આવેલા મકાનમાં નવચંડીના યજ્ઞનું આયોજન કરવામાં આવતું હતું. જેને લઈને 27 તારીખે રોકડ ત્રણ લાખ, સોના ચાંદીના દાગીના અને ડાયમંડ વિંટી સહિતના આભુષણો લઈને તેઓ પોતાના વતન પહોચ્યા હતા.

આ દરમિયાન તસ્કરોએ તેના મકાનને નિધન બનાવ્યું હતું. જાણવા મળ્યું કે કે, તસ્કરો પાછળના ભાગેથી મકાનમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલી તમામ રોકડ અને દાગીના એમ કુલ મળીને 25 લાખથી વધુની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ માલિકને થતા માલિકને હાર્ટએટેક આવી ગયો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *