સુરતમાં કોરોના અને મ્યુકરમાઈકોસિસ પછી નવો રોગ આવતા લોકોમાં ફફડાટ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે કોરોના અને મ્યુકરમાઈકોસિસ બાદ સુરત શહેરમાં નવો રોગ આવતા લોકોમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર હવે ગુજરાત રાજ્યમાં મ્યુકરમાઈકોસિસ બાદ એસ્પરઝિલસ નામની ફુગે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. જેનો પ્રથમ કેસ સુરતમાં નોંધાય ચુક્યો છે. આ રોગને પોસ્ટ કોવિડ ઈન્ફેક્શન ગણવામાં આવે છે.

આ નવા રોગનો શિકાર થયેલ દર્દીને સુરતની સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ એસ્પરઝિલસ રોગ મ્યુકરમાઈકોસિસ જેટલો ખતરનાક નથી. સામાન્ય સારવાર લેવાથી આ દર્દી સાજો થઇ શકે છે.

દવાને કારણે દર્દી થઈ શકે છે સાજો:
તબીબોના જણાવ્યા અનુસાર એસ્પરઝિલસ રોગની સારવાર મોટાભાગે દવાઓના લીધે જ સારી થઇ જતી હોય છે. જ્યારે આ એસ્પરઝિલસ રોગની દવાઓ પણ ખુબ મોંઘી આવે છે. મહત્વનું એ છે કે એસ્પરઝિલસ રોગ મ્યુકરમાઈકોસિસ જેટલો ખતરનાક નથી. એસ્પરઝિલસ રોગને કારણે દર્દી સારવાર દરમિયાન સરતાથી સાજો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *