‘કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો…’ ભાવનગરની હિમાંશીના પિતાએ ધ્રુજતા કલેજે કહી આપવીતી- હિંમત હોય તો જ સાંભળજો

સુરતની ગ્રીષ્મા વેકરીયાના નામથી સમગ્ર ગુજરાત પરિચિત છે. માત્ર 20 વર્ષની દીકરીની એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલે સરાજાહેર ગળું ચીરી હત્યા કરી નાખી હતી. આ…

સુરતની ગ્રીષ્મા વેકરીયાના નામથી સમગ્ર ગુજરાત પરિચિત છે. માત્ર 20 વર્ષની દીકરીની એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલે સરાજાહેર ગળું ચીરી હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું. આગળ ચાલે ઘણો સમય વીતી ગયો છતાં, આ પ્રકારના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આવી જ એક ઘટના ગુજરાતના ભાવનગરમાંથી સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના સિહોર પંથકમાં સામાજિક તત્વોના ત્રાસથી 16 વર્ષની દીકરીએ ઝેરી દવા પીને પાણીના ટાંકામાં કૂદી પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. આ બનાવથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચ્યો હતો. આ ઘટના અંગે પાટીદાર આગેવાનોએ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી, જેના પગલે તંત્ર દોડતું થયું હતું અને ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.

મોટા સુરકા ગામે લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળી ૧૬ વર્ષીય હિમાંશી જસાણીએ આપઘાત કરી લીધો હતો. પિતાએ ભીની આંખે કહ્યું ‘હિમાંશી ભણવામાં ખૂબ હોશિયાર હતી, ધોરણ 12 બોર્ડમાં અભ્યાસ કરતી અને ત્રીજો નંબર લાવતી. હિમાંશી કહેતી હતી કે, મારા ભાઈઓ ભણ્યા તેના કરતાં પણ હું સારું ભણીશ. હું મારી હિમાંશીને એવી રીતે રાખતો હતો કે તેને કોઈ તકલીફ ન પડે. ઘટનાના દિવસે હિમાંશી એ મારી મમ્મીને કહ્યું “બા સોડા લઈ આવો ને..” એટલે મારા મમ્મી હિમાંશી માટે સોડા લેવા ગયા. હિમાંશી અવારનવાર કંઈક ને કંઈક મંગાવતી હોય, એટલે ત્યારે મારા મમ્મીને બીજું કઈ સૂઝ્યું નહીં, અને તે વખતે ઘરમાં પણ કોઈ જ નહોતું. જેવા મારા મમ્મી બહાર ગયા, અને હિમાંશીએ ઘરનો દરવાજો બંધ કરી લીધો અને, ઘાસ બાળવાની દવા પીને પાણીના ભૂગર્ભ ટાંકામાં ઉતરી ગઈ.’

મનોજભાઈએ વધુમાં કીધું ‘આ બનાવ 9 ડિસેમ્બરે સાંજે 08:00 વાગ્યા પછી બન્યો હતો. તે દિવસે અમારા ઘરે પ્રસંગ હતો. અમારા કુટુંબિક મોટા ભાઈના છોકરાના લગ્ન હતા. સાંજના પાંચ વાગ્યે અમે જાન લઈને પરત આવી ગયા હતા, ત્યારે સાંજના સાત વાગે મારા નાના ભાઇને સુરત જવાનું હતું, એટલે તેમને મૂકવા બસ સ્ટેશન ગયો. મારા મમ્મી અને ભાભી બંને ઘરે હતા અને સાંજે 08:15 વાગ્યે મારા ભાભી સત્સંગમાં ચાલ્યા ગયા. મારા ભાભી પણ અવારનવાર સત્સંગમાં જતા હોય છે. ત્યાર પછી હિમાંશી એ મારા મમ્મીને સોડા લેવા બહાર મોકલ્યા અને આ પગલું ભર્યું.’

દીકરીની કહાની જણાવતા મનોજભાઈ ધ્રુજતા અવાજે આગળ બોલે છે ‘મારા મમ્મી અને ભાભી ઘરે આવ્યા તો હિમાંશી દરવાજો ખોલતી નહોતી, લાંબા સમય બાદ દરવાજો ન ખુલતા પાડોશીને જાણ કરી. એટલે તાત્કાલિક પાડોશીઓ ઘરે આવી પહોંચ્યા. દરવાજો ખોલવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દરવાજો ખુલ્યો નહીં, ત્યાં સુધીમાં 150 લોકો ઘરે ભેગા થઈ ગયા હતા. પછી ગમે તેમ કરીને ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર ગયા. ત્યાં જઈને જોયું તો ટાંકાનું ઢાંકણું ખુલ્લું હતું. ત્યાં કોઈને વિચાર આવ્યો કે ટાંકાનું ઢાંકણું કેમ ખુલ્લું છે? ત્યાં જઈને તપાસ કરી તો અંદર હિમાંશી હતી. પછી તાત્કાલિક તેને બહાર કાઢી.’

મનોજભાઈએ વધુમાં કહ્યું ‘હું જ્યારે ઘરે હાજર હતો ત્યારે મને એવું કંઈ દેખાયું નહોતું કે હિમાંશીના મગજમાં શું ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા હિમાંશી આખો દિવસ મારી સાથે રહે, તેણે વસ્તુઓ પણ મંગાવી. ત્યારે હિમાંશીની મમ્મી સુરત હતી. તેણે તેની મમ્મી સાથે વિડિયો કોલમાં વાત પણ કરી, તે સમએ લાગટુ નહોતું કે હિમાંશી કોઈ વાતથી દુઃખી છે. હિમાંશીએ મને પણ કોઈ વાતની જાણ ન કરી, જો કરી હોત તો ફરિયાદ કરેત’

મનોજભાઈ વધુમાં કહેતા જણાવે છે કે, ‘હિમાંશી એ આવું શું કામ કર્યું એ જાણવા માટે તેની બહેનપણી સાથે વાત કરી હતી. ત્યારે તેણે કહ્યું કે, ગામના ત્રણ લુખ્ખા તત્વો તેને હેરાન કરતા હતા. મને લાગે છે તેમના ત્રાસથી કંટાળી હિમાંશી એ આવું પગલું ભર્યું હશે.’ તમને જણાવી દઈએ કે, આ લુખ્ખા તત્વો ગામમાં અન્ય છોકરીઓની પણ છેડપી કરતા હતા. ગામલોકોએ ચેતવણી પણ આપી હતી.

મનોજભાઈ વધુમાં કહે છે કે, આ લુખ્ખા તત્વોએ અગાઉ પણ ઘણી દીકરીઓને હેરાન કરેલી છે, કોઈએ પણ આ અંગે ફરિયાદ ન કરી તેના કારણે આ બધું થયું. આ લોકોએ તો એક છોકરીના લગ્ન પણ તોડાવી નાખ્યા હતા. મારી હિમાંશી નાની અને ભોળી હતી. એટલે જ તેઓના ત્રાસથી કંટાળી આવું પગલું ભર્યું હશે.

કોણ છે આ ઘટનાના નરાધમો?
ઘટના બાદ ત્રણ આરોપીઓ ના નામ સામે આવ્યા છે, જેમાં વિપુલ જોટાણા ઉર્ફે બિગ બી, મહેશ જોટાણા ઉર્ફે પપ્પુ અને એક સોળ વર્ષનો સગીર તે ભણે છે. જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી વિપુલ જોટાણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *