ગ્રીષ્મા વેકરીયાના પરિવાર સાથે મુલાકાત માટે પહોંચ્યા ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ

સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekariya)ની હત્યાથી સમગ્ર ગુજરાતના લોકોમાં કોઈ લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. હત્યા કેસનો આરોપી ફેનીલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. હાલ પોલીસ સમગ્ર મામલાની યુધ્ધના ધોરણે તપાસ કરી રહી છે. હાલમાં ગુજરાતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ અંગે ચારેકોર આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહી છે. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના મારા ગળું કાપીને નિર્દય હત્યા કરીને 21 વર્ષીય યુવતીનું મોત નીપજાવી દીધું હતું.

આજે બપોર પછીના સુમારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલે ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકાત કરી છે. પરિવારને સાંત્વના આપતા કહ્યું કે, “આ કેસમાં ગ્રીષ્માને ઝડપથી ન્યાય અપાવવામાં આવશે. આ ઘટનાથી માત્ર પરિવાર જ નહિ પરંતુ આખા ગુજરાતમાં શોકની લાગણી ફેલાયેલી છે. દરેકના મનમાં એક જ વાત છે કે આરોપી ફેનીલને સખ્ત સજા થવી જોઈએ.”

ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલની સાથે બારડોલી સાંસદ પ્રભુ વસાવા સહિતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ભાજપના આગેવાનો જોડાયાં હતાં. ગ્રીષ્ના પિતા અને ભાઈને મળ્યાં હતાં. પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ગૃહમંત્રીથી લઈને પોલીસને પણ આ કેસમાં ઝડપી ન્યાય મળે તે પ્રકારના પગલાં લેવા સૂચના આપી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ ઘટનાના ૨૪ કલાક માં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પરિવારની મુલાકાત લઈને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ સતત આ ગુનામાં સંડોવાયેલા લોકો અંગે તપાસ આદરી દીધી છે. આજે સવારે ગ્રીષ્મના પિતા આફ્રિકાથી આવ્યા અને વ્હાલસોયી દીકરી નો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોની એક જ માંગ છે કે આરોપીને ફાંસી થાય.

ગઈકાલે સાંજે મૃતક દીકરી નું બેસણું રાખવામાં આવ્યું હતું. તેની ગણતરીની કલાકો પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ વિડીયો કોલ મારફતે પરિવાર સાથે વાત કરવામાં આવી હતી અને પરિવાર ની વાત સાંભળી હતી પરિવારે માંગ કરી છે કે, હત્યારાને ફાંસી થાય અને ભવિષ્યમાં ગુજરાતમાં આવી ઘટના ક્યારેય ન બને. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સાંત્વના આપતા કહ્યું હતું કે, અમે તમારી સાથે છીએ અને કડક કાર્યવાહી કરવામાં આવશે. કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા એ મુખ્યમંત્રી અને પરિવાર સાથે વાત કરાવી હતી.

મળતી માહિતી અનુસાર મોડી સાંજે હત્યારા ફેમિલી ગોયાણીને હોસ્પિટલમાંથી રજા મળતા કામરેજ પોલીસ દ્વારા પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવશે. આરોપીએ જેરી દવાખાનું નાટક કર્યું હતું અને પોતાની નસ કાપવાને બદલે ઉપરની ચામડી કાપીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *