હૃદયદ્રાવક ‘સુસાઇડ નોટ’ લખી સુરતની યુવતીનો આપઘાત- કારણ જાણી, પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ

સુરત (Surat) શહેરમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં એક પરિણીત યુવતીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીના ઘરેથી ‘સુસાઈડ નોટ’ પણ મળી આવી હતી. જ્યારે યુવતીની છેલ્લી ચિઠ્ઠી વાંચી ત્યારે આપઘાતના કારણનો મોટો ઘટસ્ફોટ થયો હતો.

અંદર લખ્યું હતું કે, ‘વિશાલે લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, તેની પત્નીને આ વાતની ખબર હોવા છતાં તેનો સાથ આપતી હતી. આ બંને મળીને મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મારી છેલ્લી ઈચ્છા છે કે, મારી લાશ મારા પરિવાર પહેલા વિશાલના ઘરે આપજો, તો મારી આત્માને શાંતિ મળશે.’

જાણવા મળ્યું છે કે, સુરતના કાપોદ્રા વિસ્તારના ઉમરપાડામાં રહેતી સંજના (નામ બદલ્યું છે) ભાણેજ સાથે રહેતી હતી, અને હીરાની ઓફિસમાં કામ કરતી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગઈકાલે સવારે 10 વાગ્યે સંજનાએ ગળેફાસો ખાઇ મોતને વહાલું કર્યું હતું. સમાચાર મળતા જ પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને તાત્કાલિક સંજનાને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. સુસાઇડ નોટ મળતા આપઘાતનું કારણ પરિવારજનોને માલુમ પડ્યું હતું.

સંજના સુસાઇડ નોટમાં જણાવતા કહે છે કે, ‘મારો સંબંધ ડુંગરા કામરેજના રહેવાસી વિશાલ મનહરભાઈ પટેલ સાથે હતો. છેલ્લા ચાર વર્ષથી હું અને વિશાલ સંબંધમાં હતા. લગ્નની લાલચ આપી વિશાલે સબંધ પણ બાંધ્યા હતા. વિશાલ પહેલેથી જ પરણિત હતો, તેમ છતાં તેણે મારી સાથે સંબંધ રાખ્યો. જ્યારે વિશાલની પત્ની ને આ સંબંધની જાણ થઈ, તેમ છતાં વિશાલ નો સાથ આપતી હતી. વિશાલે મારો ફાયદો ઉઠાવ્યો છે, તે કારણોસર આજે આ ખોટું પગલું ભરી રહી છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *