અમદાવાદમાં સંપત્તિની લાલચમાં સગા ભાઈએ બહેનને છરીના આડેધડ ઘા જીંકી દર્દનાક મોત આપ્યું

અમદાવાદ(Ahmedabad): આજકાલ લોકો માટે હત્યા(Murder) કરવી એ ખુબ જ સામાન્ય વાત બની ગઈ છે. તેમાં પણ ખાસ કરીને પરિવારજનોની જ હત્યાની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. હાલ આવી જ એક ઘટનાના સમાચરા મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પિતા મકાન ખાલી ના કરતા હોવાની અદાવત રાખીને ભાઈએ બહેનને છરી ના ઘા ઝીંકીને હત્યા કરી દીધી. તો ભાણેજ અને પિતાને ઇજા પહોંચાડી છે. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. તેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

બહેનને જાહેર રોડ પર લઈ જઈ છરીના ઘા ઝીક્યા:
આ ઘટના શહેરના રામોલ વિસ્તારમાં બની છે. રામોલ વિસ્તારમાં આવેલ સુરેલિયા એસ્ટેટ રોડ પર આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા શેતાન સિંહ ચાવડાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેમના દીકરા મદન સિંહે તેમની દીકરીને ઘરની બહાર જાહેર રોડ પર આડેધડ છરી ના ઘા માર્યા હતા. આ દરમિયાન દીકરીનું મૃત્યુ નીપજ્યું હતું.

પિતા અને ભાણેજને પણ કર્યા ગંભીર રીતે ઈજાગ્રસ્ત:
દીકરીને બચાવવા જતા ફરિયાદી વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા. જ્યારે તેમના ભાણેજને પણ છરીના ઘા મારીને ઇજા પહોંચાડી હતી. ત્રણેયને ગંભીર રીતે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરિયાદીની દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું.

મિલકત મામલે મર્ડર:
આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલો મિલકતના વિવાદને લઈને થયો છે. ફરિયાદી મકાન ખાલી કરતા ના હોવાથી આરોપીએ આ ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *