પ્રેમી પંખીડાને જોતા જ ફાટ્યો બાટલો અને આડેધડ મારવા લાગ્યો છરીના ઘા- હચાવનારી છે ગાંધીનગરની આ ઘટના

ગાંધીનગર(ગુજરાત): હાલમાં ગાંધીનગર(Gandhinagar)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝૂંડાલ(Zundal) નર્મદા કેનાલ(Narmada Canal) નજીક એક્ટિવા(Activa) પાર્ક કરીને અમદાવાદ(Ahmedabad)ના પ્રેમી પંખીડા વાતો કરી રહ્યા…

ગાંધીનગર(ગુજરાત): હાલમાં ગાંધીનગર(Gandhinagar)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝૂંડાલ(Zundal) નર્મદા કેનાલ(Narmada Canal) નજીક એક્ટિવા(Activa) પાર્ક કરીને અમદાવાદ(Ahmedabad)ના પ્રેમી પંખીડા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન, બાઈક લઈને આવેલા અજાણ્યા શખ્સે પ્રેમી પંખીડા સાથે કેનાલ પાસે બેસવા બાબતે માથાકૂટ કરી હતી. બાદમાં આવેશમાં આવી જઈ છરી વડે પ્રેમના પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા.

ત્યારે પ્રેમીને બચાવવા વચ્ચે પડેલી પ્રેમિકાને પણ આ હુમલામાં ઈજાઓ પહોંચી હતી. આ હુકમમાં ગંભીર રીતે ઘાયલ પ્રેમીને પેટ, લીવર અને છાતીમાં ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જે અંગે અડાલજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે અડાલજના ઝુંડાલ નર્મદા કેનાલ નજીક બેઠેલા પ્રેમી પંખીડા પર છરી વડે ઘાતકી હુમલો કરી પ્રેમીની હત્યાનાં પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ જૂના વાડજના સાબરનગર ખાતે રહેતી 21 વર્ષીય છાયા અમરસિંહ પારગીએ નોંધાવેલી ફરિયાદ અનુસર, ગઈકાલે તે બપોરના સમયે અમદાવાદ ઈન્કમટેક્સ ખાતે બેંક ઓફિસરનું ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી. જે ઇન્ટરવ્યૂ પૂર્ણ થતા સાડા ચાર વાગ્યાના અરસામાં સાબરનગરમાં જ રહેતો તેનો પ્રેમી અજય પ્રવીણભાઈ સાગર એક્ટિવા લઈને તેને લેવા આવ્યો હતો.

ત્યારબાદ બંને જણા એક્ટિવા પર ઝુંડાલ નર્મદા કેનાલ તરફ આવ્યા હતા. જ્યાં કેનાલના બ્રિજથી જમણી બાજુ વળાંક લઈ અંદરની તરફ જઈને કેનાલ પાસેના રોડ પર ઉભા રહ્યા હતા. આ દરમિયાન, અજય એક્ટિવા પર બેઠો હતો અને તેની પાસે છાયા ઉભી રહીને વાતો કરતી હતી. સાડા પાંચ વાગ્યાના અરસામાં અહીંથી એક 20 થી 22 વર્ષીય શખ્સ બાઈક લઈને નીકળ્યો હતો અને થોડેક આગળ બાઈક પાર્ક કરી બન્નેની પાસે આવ્યો હતો.

તે કહેવા લાગેલો કે તમે અહીં કેમ બેઠા છો, શું કરવા આવ્યા છો. એટલે પ્રેમી પંખીડાએ કોઈ પ્રોબ્લેમ હોય તો જતા રહેવાની વાત કરી હતી. આ સાંભળી યુવક એકદમ ગુસ્સે થઈ પોતાની કમરના પાછળના ભાગથી છરી કાઢીને અજય પર ઉપરાછાપરી ઘા કરવા લાગ્યો હતો. જાણવા મળ્યું છે કે, આ હુમલાના અજયને પેટના ભાગે ડૂટીથી ઉપર ઊંડો ઘા થયો હતો. જેનાં કારણે લોહીની ધારાઓ ફૂટવા લાગતા તેને બચાવવા છાયા વચ્ચે પડી હતી.

તેમ છતાં યુવકે આડેધડ છરીના ઘા ઝીંકી રાખતાં અજયને છાતીનાં બંને પડખે, ગળા પર પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ હુમલામાં વચ્ચે પડેલી છાયાને પણ ઈજાઓ પહોચી હતી. ત્યારબાદ છાયાએ બૂમાબૂમ કરતા એક કાર ચાલક ત્યાં થોભી ગયો હતો. જેથી કરીને અજાણ્યો શખ્સ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ અજયને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી કાર ચાલકે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જોકે, એમ્બ્યુલન્સને આવતા સમય લાગે તેમ હોવાથી કાર ચાલક બન્નેને સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે નિકળ્યો હતો.

આ દરમિયાન, રસ્તામાં એમ્બ્યુલન્સ સામેથી આવી પહોંચતા બન્નેને એમ્બ્યુલન્સમાં સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે છાયાએ અજયના પરિવારને પણ જાણ કરી ગાંધીનગર સિવિલ બોલાવી લીધા હતા. સિવિલમાં ફરજ પરના તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી ગંભીર રીતે ઘાયલ અજયને અમદાવાદ સિવિલ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં અજયનું ઓપરેશન કરી ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અડાલજ પોલીસ દ્વારા આઈપીસી 307 તેમજ જીપીએ એકટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસને આ પ્રકરણમાં ત્રિકોણીયાં પ્રેમ સંબંધોની શક્યતા સેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *