તથ્ય પટેલ બાદ અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત- મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ બેફામ કારે ચાર થી પાંચ પલટી મારી

Car accident in Maninagar, Ahmedabad: અમદાવાદમાં બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં જ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ આજે સામે…

Car accident in Maninagar, Ahmedabad: અમદાવાદમાં બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં જ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ આજે સામે આવ્યો છે. શહેરના મણીનગર(Car accident in Maninagar, Ahmedabad) વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત યુવકે બેફામ કાર ચલાવી બાંકડા પર કાર ઘુસાડી દીધી હતી.

જોકે, બાંકડા પર બેસેલા ત્રણ લોકો સમય સૂચકતા બાંકડાથી દૂર ખસી જતાં જાનહાની ટળી હતી. આ અકસ્માતમાં નશામાં ધૂત નબીરાની કાર ચારથી પાંચ પલટી મારી ગઈ હતી. તો ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલ પણ મળી આવી હતી.

નશામાં ધૂત નબીરાની કારે ચારથી પાંચ પલટી મારી દીધી
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં જાહેર રસ્તા પર લોકોનો ફરવું અને બેસવું પણ જોખમી બન્યું છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, ત્યાં બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.

ગાડીમાંથી મળી આવી દારૂ અને બિયરની બોટલ
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી ગયી હતી. આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. જે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ આગળ વાધરી છે.

હવે ડર લાગવા લાગ્યો છે
અકસ્માતની સમગ્ર ઘટના નજરે જોનાર વ્યકિતએ ખાનગી મીડિયા સાથે વાતચીત કરી. તેઓએ જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું છે. જો હું સમયસર બાંકડા પરથી દૂર ન ગયો હોત તો મારું મોત પણ નક્કી થઈ ગયું હોત. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, હવે ડર લાગવા લાગ્યો છે. ત્રણ નબીરાઓએ રાત્રીના સમયે સીયાઝ કારમાં પૂરપાટે આવી અક્સ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર વાહનચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી છે.

One Reply to “તથ્ય પટેલ બાદ અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત- મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ બેફામ કારે ચાર થી પાંચ પલટી મારી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *