પત્ની અને પુત્રને કારમાં બેસાડી ચાંપી દીધી આગ- જાણો ક્યાં બની કાળજું કંપાવતી ઘટના

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાગપુર(Nagpur)માંથી આપઘાતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ તેના પરિવાર સાથે કારને પણ આગ ચાંપી દીધી અને પોતે આપઘાત કરી…

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાગપુર(Nagpur)માંથી આપઘાતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ તેના પરિવાર સાથે કારને પણ આગ ચાંપી દીધી અને પોતે આપઘાત કરી લીધો. આ ઘટનામાં કાર ચાલક રામરાજ ગોપાલકૃષ્ણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, મૃતકે પોતાની મારુતિ 800 કારમાં જ્વલનશીલ સામગ્રી નાખીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં કારમાં બેઠેલ તેની પત્ની અને પુત્રને પણ ગંભીર ઈજા થઈ હતી. જેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર છે.

કહેવામાં આવી રહ્યું છે કે નાની શંકાના બહાને મૃતક રામરાજે ખાપરીના એક સુમસાન વિસ્તારમાં કાર રોકી અને નીચે ઉતરી ગયો. થોડી વાર પછી કારમાં બેસતાની સાથે જ તેણે આગ લગાવી દીધી. આ દરમિયાન તેની પત્ની અને પુત્ર કારમાંથી ઉતરીને ભાગી ગયા હતા. તેઓ રસ્તાના કિનારે એકઠા થયેલા વરસાદી પાણી પર સૂઈ ગયા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ રામરાજ કાર સાથે ખરાબ રીતે દાઝી ગયો હતો.

આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તો અને મૃતકોને હોસ્પિટલ લઈ ગયા હતા. સ્થળ પરથી પોલીસને પોલીથીનની અંદરથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે આર્થિક સંકડામણના કારણે તે આ પગલું ભરી રહ્યો છે. કોરોનાને કારણે તેને ખૂબ જ નુકસાન થયું હતું. જેના કારણે તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. તેણે આના પર કાબુ મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *