આ ત્રણ વસ્તુ નો ત્યાગ કરનાર લોકો જ સફળ અને સમાજ માં સન્માન પ્રાપ્ત કરે છે: ચાણક્ય 

ગુરુ આચાર્ય ચાણક્ય દ્વારા ઘણી એવી નીતિઓ બનાવામાં આવી છે જેનું પાલન કરીને વ્યક્તિ પૈસા થી લઈને ખુશાલી ભર્યું જીવન જીવી શકે છે. આચાર્ય ચાણક્ય…

ગુરુ આચાર્ય ચાણક્ય દ્વારા ઘણી એવી નીતિઓ બનાવામાં આવી છે જેનું પાલન કરીને વ્યક્તિ પૈસા થી લઈને ખુશાલી ભર્યું જીવન જીવી શકે છે. આચાર્ય ચાણક્ય પોતાની નીતિઓ માટે ખુબજ પ્રખ્યાત છે, અને તેમના દ્વારા બતાવેલી નીતિઓ નું ઘણા લોકો પ્રસ્તન કરે છે. તો ચાલો જાણીએ ચાણક્ય દ્વારા જણાવેલી મહત્વપૂર્ણ નીતિઓ.

આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલી ચાણક્ય નીતિની વાત વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. ચાણક્ય નીતિ માણસને ખોટા માર્ગને ટાળવા અને સાચા માર્ગ પર ચાલવા પ્રેરે છે. આ ત્રણ કામોનો ત્યાગ કરનારા જ લોકો થાય છે સફળ અને  પ્રાપ્ત કરે છે સમાજમાં સન્માન.

કોઈની નિંદા ન કરો :
ચાણક્ય કહે છે કે કોઈની નિંદા કરતી વખતે, વ્યક્તિને આનંદ મળે છે, પરંતુ તેનું આ વર્તન તેને સમાજમાં અપમાનજનક બનાવી શકે છે. કોઈની નિંદા કરવામાં, વ્યક્તિ પોતાનો કિંમતી સમય વિતાવે છે અને સાથે, તેનામાં સ્વયં અવગુણ આવવા લાગે છે,જે સફળતામાં અવરોધ બની જાય છે.

અહંકારનો ત્યાગ કરો :
ચાણક્ય કહે છે કે પોતાને સર્વશ્રેષ્ઠ માનવું સારું છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ ગણવાનું શરૂ કરે છે, તો તેનામાં અહંકારના અવગુણ આવે છે. અહંકાર વ્યક્તિના પતનનું કારણ બને છે, તેથી અહંકારનો ત્યાગ કરવો તે યોગ્ય છે. માત્ર ચાણક્ય નીતિમાં જ નહીં, પરંતુ બધા વિદ્વાનોએ શીખવ્યું છે કે વ્યક્તિએ પોતાના અહંકારનો ત્યાગ કરવો જોઈએ.

મનમાં ન રાખો લાલચ :
લાલચ એ એક એવો અવગુણ છે જે વ્યક્તિને દુષ્ટ કાર્યો તરફ દોરી જાય છે. આ અવગુણ વ્યક્તિના પતનનું કારણ બને છે. તેથી લોભનો તરત જ ત્યાગ કરી નાખવો જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો લોભ ન રાખશો. જેઓ બીજાની સંપત્તિ જોયા પછી લાલચ કરે છે, તેઓને શાંતિ નથી મળતી, જેના કારણે તેઓ ક્યારેય તેમના જીવનમાં સફળ થઈ શકતા નથી. લાલચી વ્યક્તિની તરફ દરેક લોકો ઘૃણાની દ્રષ્ટિએ જુએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *