મોહી લે તેવી સુંદરતા નહીં પરંતુ આ ગુણ છે મહિલાઓની સૌથી મોટી તાકાત, જેનામાં હોય તેનાથી ભલભલા થઈ જાય છે મંત્રમુગ્ધ

Chanakya Niti: આચાર્ય ચાણક્યએ મહિલાઓની પ્રગતિ માટે ઘણા સારા વિચારો આપણી સમક્ષ મુક્યા છે. જો આ વિચારોને યોગ્ય સમયે યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો…

Chanakya Niti: આચાર્ય ચાણક્યએ મહિલાઓની પ્રગતિ માટે ઘણા સારા વિચારો આપણી સમક્ષ મુક્યા છે. જો આ વિચારોને યોગ્ય સમયે યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. શાસ્ત્રોમાં મહિલાઓને શક્તિનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવ્યું છે, પરંતુ ચાણક્યએ કહ્યું છે કે સ્ત્રીની સૌથી મોટી શક્તિ(Chanakya Niti) શું છે.એક શ્લોક દ્વારા,ચાણક્યએ સ્ત્રીઓ સિવાય બ્રાહ્મણ અને રાજા (નેતા)ની સૌથી મોટી શક્તિનો ઉલ્લેખ કર્યો છે. ચાલો જાણીએ…

બહુવીર્યબલમ્ રાજયો બ્રાહ્મણો બ્રહ્મવિદ બલિ ।
રૂપ-યુવા-માધુર્ય-સ્ત્રી-બાલમનુત્તમમ્ ।

સ્ત્રીની શક્તિ
ચાણક્ય કહે છે કે મહિલાઓ માટે તેમની સૌથી મોટી તાકાત તેમની મીઠી વાતો છે. આ સિવાય ચાણક્યએ પણ સ્ત્રીઓની સુંદરતાને તેમની તાકાત ગણાવી છે, પરંતુ મીઠી વાણીની સામે શારીરિક સૌંદર્યને ઓછું આંકવામાં આવે છે, જે યોગ્ય છે. મીઠી વાણીના આધારે સ્ત્રીઓ દરેકને પોતાના પ્રશંસક બનાવે છે. મીઠી બોલતી સ્ત્રીનું સર્વત્ર સન્માન થાય છે, સ્ત્રીના આ ગુણથી પરિવારની પ્રતિષ્ઠા વધે છે અને આ શક્તિના કારણે પરિવારની અનેક પેઢીઓને સારા સંસ્કાર મળે છે.

બ્રાહ્મણની શક્તિ
ચાણક્યના મતે બ્રાહ્મણનું જ્ઞાન તેની સૌથી મોટી શક્તિ અને મૂડી છે. તેના આધારે તેને સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મળે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્ઞાન માત્ર બ્રાહ્મણોની જ નહીં પરંતુ દરેક વ્યક્તિની શક્તિ છે. પ્રતિકૂળ સંજોગોમાં જ્ઞાન એ એવી શક્તિ છે જે મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે.

રાજાની શક્તિ
રાજા(નેતા)નું લાંબા સમય સુધી સત્તામાં રહેવું તેની પોતાની શક્તિ પર આધારિત છે. રાજા(નેતા)પાસે ઘણા મંત્રીઓ અને ઉપ મંત્રીઓ હોય છે, તેમ છતાં જો રાજા નબળો હોય તો તે ગાદી પર લાંબો સમય ટકી શકતો નથી. જો રાજા પોતે શક્તિશાળી હશે તો તે પોતાનું શાસન યોગ્ય રીતે ચલાવી શકશે. જો લીડર તરીકે સમજીએ તો જ્યાં સુધી લીડર માનસિક અને શારીરિક રીતે મજબૂત નહીં હોય ત્યાં સુધી ન તો મેનેજમેન્ટ સારું રહેશે કે ન તો સંસ્થા પ્રગતિ કરી શકશે.