રોગ, ધન, બુદ્ધિ અને શાંતિ માટે આ મંત્રોનો કરો જાપ; માં દુર્ગા તમારા પર થશે અતિપ્રસન્ન…

Maa Durga Mantra: વૈદિક કેલેન્ડર મુજબ આજે ચૈત્રી નવરાત્રીનો ત્રીજો દિવસછે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે માતા…

Maa Durga Mantra: વૈદિક કેલેન્ડર મુજબ આજે ચૈત્રી નવરાત્રીનો ત્રીજો દિવસછે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેવી જ રીતે, આ નવ દિવસોમાં(Maa Durga Mantra) દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આમ કરવાથી તમામ રોગોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, પૈસા કમાવવાના નવા રસ્તાઓ પણ ખુલે છે.

જ્યોતિષીઓના મતે માતા દુર્ગાની કૃપા મેળવવા માટે મંત્રોનો જાપ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે આ મંત્રોનો જાપ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ તે મંત્રોને વિગતવાર.

રોગોથી છુટકારો મેળવવા માટે
“ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની.
દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે”

શક્તિ મેળવવા માટે
“યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,
નમસ્તેસાયે નમસ્તેસાય નમસ્તેસાયે નમો નમઃ”

પૈસા મેળવવા માટે
“યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા,
નમસ્તેસાયે નમસ્તેસાય નમસ્તેસાયે નમો નમઃ”

મનની શાંતિ મેળવવા માટે
“યા દેવી સર્વભૂતેષુ તુષ્ટિરૂપેણ સંસ્થિતા,
નમસ્તેસાયે નમસ્તેસાય નમસ્તેસાયે નમો નમઃ”

પ્રેમ અને આશીર્વાદ મેળવવા માટે
“યા દેવી સર્વભૂતેષુ, માતૃસંસ્થા,
નમસ્તેસાયે નમસ્તેસાય નમસ્તેસાયે નમો નમઃ”

માતાજીની કૃપા મેળવવા
“યા દેવી સર્વભૂતેષુ દયારુપેણ સંસ્થિતા,
નમસ્તેસાયે નમસ્તેસાય નમસ્તેસાયે નમો નમઃ”

બુદ્ધિ મેળવવા માટે
“યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપા સંસ્થિતા,
નમસ્તેસાયે નમસ્તેસાય નમસ્તેસાયે નમો નમઃ”

શાંતિ પ્રાપ્ત કરવા માટે
“યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા,
નમસ્તેસાયે નમસ્તેસાય નમસ્તેસાયે નમો નમઃ”

તમામ કાર્યોની સિદ્ધિઓ માટે
“સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે”
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે.”