તુનીષા બાદ વધુ એક અભિનેત્રીનો આપઘાત- 22 વર્ષની ઉંમરે જ દુનિયાને કહ્યું અલવિદા, એવી હાલતમાં લાશ મળી કે…

છત્તીસગઢ(Chhattisgarh)ના રાયગઢ(Raigarh)માં 22 વર્ષની સોશિયલ મીડિયા સ્ટાર(Social media star) લીના નાગવંશી(leena nagwanshi)એ આપઘાત કરી લીધો છે. તેણે પોતાના ઘરની છત પર લટકીને આપઘાત કરી લીધો…

છત્તીસગઢ(Chhattisgarh)ના રાયગઢ(Raigarh)માં 22 વર્ષની સોશિયલ મીડિયા સ્ટાર(Social media star) લીના નાગવંશી(leena nagwanshi)એ આપઘાત કરી લીધો છે. તેણે પોતાના ઘરની છત પર લટકીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ પરિવારના સભ્યો લીલાના મૃતદેહને નીચે ઉતારી લીધો હતો.

આ ઘટના રાયગઢની કેલો બિહાર કોલોનીની છે. માહિતી મળતાની સાથે જ ચક્રધર નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને પોતાના કબજામાં લીધો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

કોણ હતી લીના નાગવંશી?
લીના સોશિયલ મીડિયા સ્ટાર હતી અને ઘણીવાર સમાચારમાં રહેતી હતી. B.Com ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 10,000 ફોલોઅર્સ હતા. ઘટનાસ્થળે પહોંચેલા ચક્રધર નગરના સબ-ઇન્સ્પેક્ટર દિનેશ બોહિદરનું કહેવું છે કે આજે બપોરે એક વાગ્યે માહિતી મળી હતી કે કેલો વિહાર કોલોનીમાં રહેતી 22 વર્ષની લીનાએ તેના ઘરની છત પર લટકીને આપઘાત કરી લીધો હતો.

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે તેણે પોતાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. મૃતદેહના પંચનામા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી યુવતીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત કારણોસર લીનાએ આપઘાત કરી લીધો છે. પરંતુ હજુ સુધી તેમના આપઘાત અંગે કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *