મોટા સમાચાર: કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકોને આટલા રૂપિયાની સહાય કરશે CM રૂપાણી

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે કોરોનાની મહામારીમાં પોતાના માતાપિતા ગુમાવનારા બાળકોને જુલાઈ મહિનાથી સહાય પ્રાપ્ત થશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજ રોજ આ બાળકોને સહાય વિતરણ કરશે. હાલમાં કુલ 776 થી પણ વધુ બાળકોની નોંધણી થઇ ગઈ છે. ત્યારે હવે બાળકોના બેંક એકાઉન્ટમાં અથવા તો ગાર્ડિયનના એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરવામાં આવશે.

જાહેરાત મુજબ પ્રતિ બાળક દીઠ 4 હજારની માસિક સહાય આપવામાં આવશે. બાળક જે મહિનાથી અનાથ થયું હશે ત્યારથી સહાયનો લાભ મળશે. સાથે બાળકોને સહાયનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક મળવાની છે જેમાં વરસાદ પાછો ખેંચાયો તે અંગે અને સિંચાઈ અંગે પણ ચર્ચા થશે. સાથે રાજ્ય સરકારના મંત્રીઓનો જીલ્લા પ્રવાસનો રીપોર્ટ મુખ્યમંત્રીને સોપવામાં આવશે. જીલ્લા અને મહાનગરપાલીકાના વિસ્તારમાં વિકાસના કાર્યો અંગે પણ ચર્ચા થશે. સાથે સાથે આ બેઠકમાં ગ્રામીણ રોજગારી મુદ્દે ચર્ચા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *