કોંગ્રેસની ચોથી યાદી જાહેર, વધુ 9 ઉમેદવારોને મળી ટીકીટ- જાણો કોને ક્યાંથી મળી?

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress) દ્વારા શનિવારે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કાના 75 અને બીજા તબક્કાના 20 મળીને કોંગ્રેસે અત્યાર સુધી કુલ 95…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress) દ્વારા શનિવારે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કાના 75 અને બીજા તબક્કાના 20 મળીને કોંગ્રેસે અત્યાર સુધી કુલ 95 ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસની ચોથી યાદી આવી ગઈ છે. આજે 9 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કુલ 104 ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

વધુ 9 બેઠકો પર ઉમેદવારો જાહેર:
કોંગ્રેસની ચોથી યાદીમાં દ્વારકામાંથી મુળુભાઈ કંડોરિયા, તલાલામાંથી માનસિંહ ડોડિયા, કોડિનારમાંથી મહેશ મકવાણા
ભાવનગર ગ્રામ્યમાંથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઈસ્ટમાંથી બળદેવ સોલંકી, બોટાદમાંથી રમેશ મેર, જંબુસરમાંથી સંજય સોલંકી, ભરૂચમાંથી જયકાંત બી પટેલ અને ધરમપુરમાંથી કિશનભાઈ પટેલને સ્થાન મળ્યું છે.

કોંગ્રેસનો ચૂંટણી મેનીફેસ્ટો જાહેર:
કોંગ્રેસ દ્વારા ચૂંટણી મેનીફેસ્ટો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ મેનીફેસ્ટોમાં શિક્ષણ, પશુપાલન, ઘર, પંચાયતી રાજ, SC,ST,OBC, લઘુમતી, મહિલા સુરક્ષા, ખેડૂત, માછીમાર, પર્યાવરણ સુરક્ષા, વ્યાપાર ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોકશાહી, મોંઘવારી, રોજગાર અને કલા-સંસ્કૃતિ-અસ્મિતા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

શિક્ષણ:
ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ લાગવવામાં આવશે. પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં ૨૦%નો ઘટાડો કરવામાં આવશે.

પશુપાલન:
લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય, પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે.

સૌને ધરના ઘર:
ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના, ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા, વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવશે.

SC,ST,OBC, લઘુમતી:
વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે. ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે.

પંચાયતી રાજ:
ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે. મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે.

મહિલા સુરક્ષા:
મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ. આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી કરવા મળશે.

ખેડૂત:
દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના. કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે.

માછીમાર:
માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે. માછીમારોનું રૂ.૩ લાખ સુધીનું દેવુ માફ કરવામાં આવશે.

પર્યાવરણ સુરક્ષા:
૫ વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા, તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન ઘડવામાં આવશે.

વ્યાપાર ઉદ્યોગ:
વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે. ઈન્ક્મ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર:
કૃષિ ક્ષેત્રે ૨૫ વર્ષની જરૂરિયાતોનું આયોજન, વીજળી ઉત્પન્ન કરી શકે માટે ૨ KVની સોલર પેનલ સબ્સિડી આપવામાં આવશે.

લોકશાહી:
બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે.

મોંઘવારી:
શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક. નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.

રોજગાર:
સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે.

કલા-સંસ્કૃતિ-અસ્મિતા:
પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવામાં આવશે. વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોદ વધે તે માટે પ્રયાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *