“રામ મંદિરના નામે કરોડો રૂપિયાનું દાન ભેગું કરીને BJP વાળા દારુની મજા માણી રહ્યા છે?”- જાણો કોણે કહ્યું?

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તે માટે દેશભરમાંથી દાન પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે આ દાનને લઈને વિવાદ ઉભો થયો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ભુરિયાએ દાન અંગે કંઇક કહ્યું હતું, જેના કારણે રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો હતો. કાંતિલાલ ભુરીયાએ જણાવ્યું હતું કે, ભાજપના લોકો દિવસ દરમિયાન રામ મંદિરના નામે દાન લે છે અને રાત્રે દારૂ પીવે છે. આ અંગે હવે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ભુરીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મંદિરનું નિર્માણ કરવાનું ભાજપનું લાંબા સમયથી સૂત્ર છે, કરોડો રૂપિયા હવે પણ એકત્રિત પણ થયા છે. પરંતુ તેનો હિસાબ આપવામાં આવ્યો નથી. આજકાલ ભાજપના નેતાઓ ઘરે ઘરે જઈ રહ્યા છે, સાંજે પૈસા એકત્રિત કરી દારૂ પી રહ્યા છે પરંતુ ભગવાન રામનું મંદિર બનાવવાની વાત કરી રહ્યા છે.

એક નિવેદનથી રાજકારણમાં થઇ રહી છે મોટી બબાલ…
મધ્ય પ્રદેશના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ કોંગ્રેસના ધારાસભ્યના આ નિવેદન પર ટિપ્પણી કરી છે. રામેશ્વર શર્માએ કહ્યું કે કાંતિલાલ ભુરિયાએ રામ ભક્તોને બદનામ ન કરવા અને શાંતિથી રામ મંદિર નિર્માણ થવા દેવું જોઈએ. બીજેપી નેતાએ કહ્યું કે દાનનો સંપૂર્ણ હિસાબ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના દિગ્વિજયસિંહે પણ દાન આપ્યું છે, તો કાંતિલાલ ભુરિયા તેમના પર શું કહેશે.

મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ આરોપ લગાવ્યો છે કે, મઝારના નામે માંગવામાં આવેલા દાનનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. તેમણે કહ્યું કે, જો કાંતિલાલ ભુરિયા દારૂ વિશે વાત નહીં કરે, તો તે સારું છે, કેમ કે તેમની પાર્ટીમાં કોણ સૌથી વધુ દારુ પીવે છે તે તેમને સારી રીતે ખબર છે.

કાંતિલાલ ભુરિયા ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સચિન સાવંતે પણ રામ મંદિરના દાન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે રામ મંદિરના નામે પૈસા એકઠા કરવાનું ભાજપ માટે ધંધો બની ગયો છે. સચિન સાવંતે કહ્યું કે સામાન્ય લોકોએ આવા લોકો સાથે સાવચેત રહેવું જોઈએ.

સચિન સાવંતે કહ્યું કે, જો રામ મંદિરના ભંડોળનો ઉપયોગ ફક્ત મંદિર માટે કરવામાં આવે તો તે બરાબર છે, પરંતુ ભાજપ અને આરએસએસનો ઇતિહાસ સૂચવે છે કે તેઓ તેનો ઉપયોગ તેમના પક્ષ અને કાર્યકરો માટે કરી શકે છે.

તમને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર વતી દેશભરમાં દાન એકત્ર કરવા માટે એક અભિયાન યોજવામાં આવી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ પણ આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *