AIIMS ડાયરેક્ટરે આપી ચેતવણી: જો આવુંને આવું રહ્યું તો બીજી લહેર કરતા પણ ભયંકર આવશે ‘ત્રીજી લહેર’

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયા સૂચના આપી છે. તેમણે જણાવ્યું છે કે, જો બધા…

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયા સૂચના આપી છે. તેમણે જણાવ્યું છે કે, જો બધા જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા તો હવે બીજી લહેર કરતાં ત્રીજી લહેર વધુ ખતરનાક હશે. તેમણે કહ્યું છે કે, ત્રીજી લહેરનું કારણ લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોવી અને લોકડાઉન પરથી પ્રતિબંધ હટાવી લેવોએ બની શકે.

તેમને વધુમાં જણાવ્યું છે કે, એક ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાના રિપોર્ટ પરથી એ તારણ નીકળ્યું છે કે, દેશમાં જો લોકડાઉન પરના પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને ઇમ્યુનિટીને પણ નબળી કરી નાખે તેવું થઈ જાય તો બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક ત્રીજી લહેર આવશે. તેમને એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે, કોરોનાના નિયમોનું પાલન કરવું, માસ્ક પહેરવું, અને રસીકરણ જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીશું તો ત્રીજી લહેરને આવતા રોકી શકીશું.

આ પ્રતિબંધો રાખવામાં આવશે તો વાયરસ પણ કાબુ મેળવી શકાશે અને કોરોનાના કેસમાં વધારો થશે નહીં. એટલે જેટલો વધુ પ્રતિબંધ તેટલા કેસો ઓછા. તેમણે વેક્સિનને લઈ કહ્યું કે, જો કોરોનાના નવા વેરિયન્ટ સામે આવે તો હાલમાં જે રસી છે તેમાં થોડો બદલાવ કરવામાં આવી શકે છે. કોરોનાની ત્રીજી લહેરની અસર બીજા શહેરોમાં જોવા મળી છે પણ ત્યાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *